SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એનાં યંત્રોની રચના ઉ૫૨થી, એની ઝીણવટ ઉપરથી થાય છે. મૂલ્યવાન અને સારી વસ્તુને બરાબર તપાસીને, એની પરીક્ષા કરીને જ બજારમાં મૂકવામાં આવે છે. નહિતર કંપનીનું નામ બદનામ થાય. subconscious mind જેવી રીતે કંપનીનો માલિક બધી રીતે પરીક્ષા (test) કરીને ઘડિયાળોને બજારમાં મૂકે છે તેવી જ રીતે મનને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, ચિત્તના વિશ્લેષણ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સાધના દ્વારા તૈયાર કરીને વિશ્વમાં વિહરવાનું છે. આજે આ સુષુપ્ત મન નબળા વિચારોનું વિચારો નાનપણથી આપવામાં આવ્યા છે. કેટલાંક સુખીમાં સુખી માબાપ દીકરાને કે દીકરીને દુ:ખીમાં દુ:ખી બનાવી દે છે. એને જે તાલીમ આપવી જોઈએ તે નથી આપી શકતાં. કઠોરતા અને દુ:ખો પણ અમુક પ્રમાણમાં જિંદગીમાં ખાતરનું કામ કરે છે. શિકાર બની ગયું છે. નબળા જૂના જમાનાની આ વાત છે. જયપુરમાં એક શિક્ષક ક્ષત્રિય કુમારને ભણાવતા. એ ખૂબ જ પ્રામાણિકતાથી ભણાવતા. વિદ્યાર્થીમાં ભૂલ દેખાય અને હોમવર્ક ન કર્યું હોય તો ભણાવતી વખતે કો'ક વાર ૧૫ મિનિટ તો કો'ક વાર અડધો કલાક એને પગ ઉપર ઊભો રાખી પાઠ પૂરો કરાવતા. શિક્ષા અને પરીક્ષાની એ ઘણી રીતો વાપરતા. વિદ્યાર્થી સરસ તૈયાર થઈ જતો. ત્યાંના રાજાને સંતાન ન હોવાથી એણે દૂરના સગાના આ છોકરાને વિજયને દત્તક લઈ ગાદી ઉપર બેસાડ્યો. - ગાદી ઉપર આવ્યા પછી નવા રાજાએ પેલા શિક્ષકને બોલાવીને કહ્યું : “હવે મારો વારો છે. તમે મને માર્યો, એક પગ ઉપર ઊભો રાખ્યો અને શિક્ષા કરી તે હું ભૂલ્યો નથી. મારી આંખમાંથી આંસુ પડતાં હતાં ત્યારે પણ મારો પાઠ પૂરો કરાવતા.’ ― શિક્ષકે હસીને કહ્યું : “બદલો લેવો હોય તો ભલે લો. પણ જો મને ખબર પડી હોત કે તમે રાજા થવાના છો તો હું આના કરતાં પણ વધારે શિક્ષા કરત અને શિસ્ત શીખવત. મને ખબર નહિ કે તમને આવી મોટી સત્તા મળવાની છે. તમે પ્રજાના પાલનહાર બનવાના છો.'’ Jain Education International જો પ્રજાના પાલનહાર બનવાના હોય એને જીવનની બધી જ શિક્ષા અને દીક્ષા આપીને એની દૃષ્ટિને વ્યાપક અને પૂર્ણ વ્યવહારુ બનાવવી જોઈએ. જે ઘડામાં અમૃત ભરવાનું છે એ ઘડો જ પાકો ન હોય તો અમૃત પણ ઢળે અને ધડો પણ જાય. સાચાં માતા-પિતા કોણ છે ? જે પોતાનાં સંતાનોને તૈયાર કરવા માટે નાનપણથી જ ધ્યાન આપે. બાળકના જ નહિ, પોતાના આચાર અને વિચાર માનવતાનાં મૂલ્ય * ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy