SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લધ્યાન શું છે ? સદા પ્રમોદભાવમાં અને આનંદભાવમાં રહેવાનું. સારાને જોઈને તમારા પ્રમોદનો ઉછાળો આવે અને દુ:ખીને જોઈને કરુણાનું ઝરણું વહે. ચેતના અને ચિત્ત મૈત્રીથી પ્રસન્ન હોય તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી જીવન રંગાઈ જાય અને સમતા-સભર માધ્યસ્થ માણે. દુનિયામાં જે કાંઈ સારું અગર ખરાબ દેખાય છે એ સર્જન પહેલાં માણસની મનોભૂમિમાં થાય છે. મનોભૂમિમાં જે થાય છે એ અદૃશ્ય છે પણ એ જ સાચું છે. આ અદૃશ્ય જગતમાં જેની વાવણી કરીએ છીએ એનું જ પરિણામ એક યા બીજી રીતે જગતમાં દશ્યમાન થાય છે. જગતને આનંદરૂપ જોવું હોય, તમારે આનંદરૂપ બનવું હોય તો પહેલાં તમારી મનોભૂમિને એક જ વિચારથી ભરી દો. હું આનંદમય છું. આનંદમાંથી પ્રાદુર્ભાવ છે અને આનંદમાં જ મારી પૂર્ણ નિર્વાણ, સમાધિ છે. Jain Education International ૪૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy