SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પછી એમને ધ્યાન પણ કરવું નથી પડતું, થઈ જાય છે. કોઈને બીડી પીવી પડે છે. છીકણી સુંઘવી પડે છે, ચહા પીવી પડે છે. આ બધી ટેવ છે. એમ સારા વિચારો કરવાની, સારા ભાવો ફેંકવાની, સારું જોવાની, ખરાબ તત્ત્વોને ફેંકી દેવાની પણ ટેવ છે. સીતાફળ લાવો છો ત્યારે શું કરો છો ? ઉપરનાં ફોતરાં ફેંકો છો, અંદરના બિયાં પણ ફેંકો છો અને વચ્ચેનો માલ ખાઈ જાવ છો. સીતાફળમાં કેટલું બધું ફેંકી દેવું પડે છે તેમ છતાં પણ ખાનારા લઈ આવે છે. લેનાર વિચારતો નથી કે આટલું બધું ફેંકી દેવું પડે છે અને ખાવાનું તો બસ આટલું જીવનમાં આ શીખવાનું છે, સંસાર સીતાફળ જેવો છે. તમને બધા જ સારા દેખાય એવું નહીં બને. બધું સારું જ મળશે એમ પણ નહીં માનો, કારણ કે તમે ખુદ પોતે જ એટલા બધા સારા નથી. જો તમે સોળ આની સારા હો તો તો વાત જુદી છે, પણ જરા તપાસી જુઓ ! ૧૪ કેરેટનું સોનું ૨૨ કેરેટના સોનાની ટીકા કરે. alle 42132 Sow a habit and reap a character. a Bot જીવનનું બંધારણ છે, જીવનનું અસ્તિત્વ છે. ટેવમાંથી સ્વાભાવિક રીતે ચારિત્ર ઘડાય છે. ચોથું ચરણ : Sow a character and reap a destiny. ચારિત્રની વાવણી કરો તો ભાગ્યનું નિર્માણ થશે. તમારું ભાગ્ય એ પેલો બિચારો જોશી શું જોવાનો ? તમે તમારું ચારિત્ર જાણો છો. ભાગ્ય તમારા હાથમાં જ છે. વિચારને વાવીને આચરણ લીધું, આચરણને વાવીને ટેવ લીધી, ટેવને વાવીને ચારિત્ર ઘડ્યું અને ચારિત્રને વાવીને ભાવિનું નિર્માણ કર્યું. તમારા ભાગ્યના નિર્માતા તમે જ બન્યાને ? તમારા સર્જનહાર તમારા સિવાય કોણ છે? વાવો વિચાર કે “હું આનંદમય છું, ચૈતન્ય છું, સુંદર છું. તરત તમારા મોઢા પર થોડાં થોડાં આનંદનાં કિરણો દેખાશે. મોઢા ઉપર એકવાર આનંદ દેખાશે એટલે ધીમે ધીમે આનંદમાં રહેવાની ટેવ પડશે. તમારી આંખોમાં, તમારા શબ્દોમાં, તમારા મુખ પર આનંદ જ દેખાશે. પછી તમારું આખું ઘડતર આનંદમય બની જશે. સત્વેષુ મંત્રી ગુણીષ પ્રમોદ, ક્લિષ્ટષ જીવેષ કૃપા પરત્વમ્ | માધ્યસ્થ ભાવે વિતરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ છે. ભગવાને કહ્યું : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રહે છે એ નવા કર્મમળનો સંચય કરતો નથી અને જૂના મળનો ક્ષય કરે છે. ધર્મધ્યાન અને માનવતાનાં મૂલ્ય * ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy