SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કે જ્યાં હું એકવીસ વર્ષથી બેઠેલો છું એના નીચે જ ખજાનો પડેલો છે. આ જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ બહાર નહિ પણ અંદર ભરેલી છે. જેમ પેલો ભિખારી ખાડો ખોદે નહિ એમ આ અંદર જાય નહિ, વિચાર કરે નહિ, અંદર ડૂબકી મારે નહિ. જો ડૂબકી મારે તો સુખ જ સુખ. અલબત્ત, શરીરની માંદગી આવી જાય, અસહાય વેદના પણ થાય તેમ છતાં શાંત રહી શકો અને કહો : કાંઈ નહિ, શરીર બેચેન છે પણ થોડી પ્રાર્થના કરીશ, શાંતિથી ભોગવીશ. થોડુંક વાંચન કરીશ, સ્વજનો સાથે બેસીને સારી વાત કરીશ એમ કરીને આ માંદગીનો સમય વિતાવીશ. પણ રાડો નાખીને, ચિંતા કરીને, ઉત્પાત કરીને બગાડીશ તો નહીં જ. માંદગી એટલે શું ? તન અને મનની ભૂલોની સજા. સ્વસ્થ જીવન જીવી શાંતિ કેવી રીતે લેવી એ જ ધર્મે બતાવ્યું છે. મર્યા પછી શાંતિ મળે એમ બતાવતો ધર્મ એ ધર્મ જ નથી. ધર્મ તો કહે છે કે જીવતાં શાંતિ ન માણે, આનંદનો અનુભવ ન કરે, વિચારોમાં સુંદરતા ન લાવે એ માણસ મર્યા પછી આ બધું કેવી રીતે લાવી શકશે ? કેટલાક કહે : “તમે જોજો તો ખરા ! એક દિવસ એવું જીવીશ જાણે સ્વર્ગ.” મેં કહ્યું : જે આજ નથી જીવતો તે ક્યારે જીવવાનો ? જે ભવિષ્યમાં કરવાની દૃષ્ટિ રાખીને બેઠો છે એ વર્તમાનમાં પોતાની પાસે જે ક્ષણો છે એનો પેલા ભિખારીની જેમ દુરુપયોગ કરી રહ્યો છે. ટેવો બદલવાની છે. વિચારોને સુધારવાના છે. વેરને છોડવાનું છે. મૈત્રી કેળવવાની છે. સુખ અંદર શોધવાનું છે. શોધવા માટે જ્યાં સુધી આ વિચાર તમારા મનના ઊંડાણમાં બેસે નહિ ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. ગાડી ત્યાં જ અટકી જાય છે. ગાડીનાં આગલાં પૈડાં આગળ મોટો પથર મૂકી દો અને પછી ગાડીને ચાલુ કરો તો ગાડી start જરૂર થાય પણ આગળ વધે નહિ એમ આપણે આપણા વિકાસના માર્ગમાં પહેલાં જ એક દુઃખનો પથરો મૂકી દીધો છે. માની લીધું છે કે હું પાપી છું, હું દુખી છું. ખલાસ ! હવે આગળ નહિ વધી શકાય. જ્યોતને ચીમની સાથે કાં સરખાવો ? અંદરની જ્યોત તો ઊજળી જ છે, ચીમની કાળી થઈ ગઈ છે. ચીમનીને જ્યોતની સાથે એક ન કરો. ચીમની એ મન છે, વાસના છે, વૃત્તિ છે ત્યાં મેશ જામી જાય છે. જ્યોતને તો કોઈ અડતું નથી. જ્યોતને જે અડવા જાય એ જલી જાય છે. આપ સહુમાં આત્માની જ્યોત છે એને કોઈ કાળી કરી શકે એમ નથી. જે આંખ દ્વારા વિશ્વસૌંદર્યને જુએ છે, વાણી દ્વારા વિદ્યા બનીને વહે ૪૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy