SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે, મૈત્રીથી બંધુત્વ સર્જે છે, એ જ્યોત શુદ્ધ છે, નિર્મળ છે; એ ખરાબ કેમ હોઈ શકે ? ચીમની ઉપર ચડેલી મેશને લૂછવાની છે. ચીમનીને પારદર્શક કરી અંદરની જ્યોતના પ્રકાશને બહાર લાવવાનો છે. શૈશવમાં મારા શિક્ષકે મને એક સુવાક્ય ગોખવા આપેલું : Sow a thought and reap an action. તું તારી મનોભૂમિમાં એક સુંદર વિચારનું બીજ વાવીશ તો એમાંથી સુંદર કાર્યનો મોલ ઊતરશે. જે જાતના વિચારો રાખીશ એ જાતનું કાર્ય ઊગશે. દુનિયાની સફરે બ્લેવસ્કી (Lady. Blavatsky) નીકળ્યાં ત્યારે સાથે થોડાં સુંદર ફૂલનાં બીજ લઈને નીકળ્યાં. જ્યાં જ્યાં કોઈ સારી જમીન જુએ, સુંદર બગીચો જુએ કે તરત તે બીજ કાઢી ત્યાં વેરે. કોકે પૂછયું : “આ શું કરો છો ?” સુંદર ફળો અને ફૂલોના બીજને વાવું છું.” “પણ એ ઊગશે ક્યારે, એને તમે જોવા આવશો ક્યારે ?” હસીને કહ્યું : “એવું ખરું કે જે કાંઈ કરીએ એ જોઈએ તો જ એનું ફળ મળે ? જેને માટે કરીએ એ જુએ તો જ આપણે કાર્ય કરેલું કહેવાય ?” આપણાં સુકૃત્યો કદી નિષ્ફળ જતાં નથી. જે કાંઈ સારું કરીને જાઓ છો એ જિંદગીભર આશીર્વાદ આપે છે. એ અંતરના આશીર્વાદનાં આંદોલનો (vibrations) અદશ્ય દુનિયામાંથી વહેલા-મોડાં આપણને પહોંચતાં હોય છે. થોડા સમય પહેલાં કિડનીના રોગના નિષ્ણાત એક અમેરિકન આવેલા. ઘણા કુશળ. એમની સલાહ અને મદદ લેવા કેટલાક ધનવાનો દોડાદોડ કરવા લાગ્યા પણ સમય થોડો હોવાથી appointment આપી શકતા નહિ. એ જે. જે. હૉસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં ખોડ સાથે જન્મેલું દોઢ વર્ષનું બાળક હતું. ડૉક્ટરનું ધ્યાન ખેંચાયું. જલદી જવાનું હતું છતાં એમનું અંતર દ્રવી ગયું. એ નિરાધાર બાળકનું એમણે પોતે જ ઓપરેશન કર્યું. ત્રણ કલાક ચાલ્યું. સરસ ઑપરેશન થયું અને બાળકની ખોડ નીકળી ગઈ. એમને ફી આપવા કોણ ગયું ? આ માનવતાનો પુકાર ! આ બાળકના પિતાએ જ મને આ વાત કરેલી અને વાત પૂરી થતાં અવકાશમાં હાથ જોડીને કહ્યું : “એ જ્યાં હોય ત્યાં એનું ભલું થજો.” ડૉક્ટરે આ સાંભળ્યું નથી, આ અજાણ્યું નથી પણ શું એના અંતરના ઉદ્દગાર ત્યાં નથી પહોંચ્યા ? આ પહોંચે એ પહેલાં જ એમણે તો મેળવી લીધા. પણ ઘણા તો કહે : “આ તકતી ઉપર મારું નામ લખો તો હું પૈસા આપું.” કેવો સોદો ! હવે નવો પાઠ શીખવાનો છે. જે દૃશ્ય છે એ અસ્થાયી છે અને જે માનવતાનાં મૂલ્ય : ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy