SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભીંજાઈ ન જાય ! કેટલો સ્વાર્થી ! પોતાની સગવડ સાચવવા, પોતાનાં કપડાં બંગલામાંથી નીકળી ગાડીમાં બેસે ત્યાં સુધીમાં ભીજાઈ ન જાય માટે વરસાદ ન આવે એમ ઇચ્છવું ? પણ એ વરસાદ ન આવે તો કેટલાય લોકો દુ:ખી બની જાય, દેશની પરિસ્થિતિ શું થઈ જાય એના વિચાર એને નહિ આવે ! પ્રવચનમાં આવતાં જરાક કપડાં ભીનાં થયાં એટલે એની તો મજા બગડી ગઈ ? બેઠો બેઠો જીવ બાળ્યા કરે. એનું મન પ્રવચનના ચિંતનમાં નહિ, કપડાંમાં છે. બહાર નીકળે, પૂછો : “સાભળ્યું કે ?” “અરે, સાભળ્યું શું ? આવતાં આ કપડાં ભીંજાઈ ગયાં, હું તો દુ:ખી દુ:ખી થઈ ગયો !” એણે નાની-શી વાતમાંથી કેવું મોટું દુ:ખ ઊભું કરી નાખ્યું. ઘરમાં લગ્ન હોય, સાંજે સત્કાર-સમારંભ (reception) હોય એ વખતે વાદળાં આવી જાય તો એ દુ:ખી દુ:ખી થઈ જાય. હવે આખું reception બગડી જવાનું. એને વિચાર નહિ આવે કે મારું reception એકનું બગડી જવાનું પણ બધા લોકોનું વર્ષ સુધરી જવાનું. વર્ષાની લોકો તો પ્રતીક્ષા કરતા જ હોય છે. માણસ જ્યાં સુધી આમ બહારની નાની નાની વાતો પર કૂદાકૂદ કરે ત્યાં સુધી એ કોઈ પણ સાધનમાં, સગવડમાં કે સંજોગોમાં સુખી નહિ બની શકે. એક ભિખારી એક ઝાડના નીચે એક જ ઠેકાણે બેસીને ૨૧ વર્ષથી ભીખ માગતો હતો. એના મનમાં હતું કે હું એક દિવસ પૈસાદાર બનીશ, મોટર લાવીશ અને ગાડીમાં બેસીને ગામના લોકોને બતાવીશ. એક દિવસ ભિખારી મરી ગયો. ગામડું હતું. બધાં ભેગાં થયાં. બધાએ કહ્યું : જગ્યાએ આ જ પથરા ઉપર બેસીને એણે એકવીસ વર્ષ સુધી ભીખ માગી છે, તો હવે એને આ જ જગ્યાએ દાટીએ. એને દાટવા ઊંડો ખાડો ખોદ્યો તો એ જ પથ્થરની નીચેથી મોટો ખજાનો નીકળ્યો ? જે જગ્યાએ બેસીને એકવીસ વર્ષ સુધી સુખનાં ફાંફાં માર્યાં, પૈસા માટે વલખાં માર્યા અને મરી ગયો ત્યાં જ ખજાનો હતો. જરાક ખોડ્યું હોત તો આ ખજાનો એને જ મળત. ઘણા માણસો સુખ અને શાંતિના ખજાના ઉપર જ બેઠેલા હોય છે. ઉપર બેસીને રોજ વિચારે : “એક દિવસ હું જરૂર શાંતિ મેળવીશ. I shall live a happy life.” બિચારો સુખના સ્થાન ઉપર બેસીને સુખની ભીખ માગ્યા કરતો હોય છે. જિંદગીભર સુખ, સુખના વિચારો કરતો દુ:ખમાં જ મરી જાય ! જે વસ્તુને માટે બહાર ફાંફાં મારીએ છીએ, જે માટે તીર્થોમાં શોધીએ છીએ એ વસ્તુ બીજે ક્યાંય નથી, આપણામાં જ પડેલી છે. પણ પેલા ભિખારીને ખબર નહિ માનવતાનાં મૂલ્ય : ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy