SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. એને આરામ મળે પણ જેવો એ જાગે કે તરત વિચારે કે હું દુઃખી છું. દુઃખનો વિચાર માણસના મનમાં ઘર કરી ગયો છે. એ વિચારને કાઢવા માટે એની સામે સારો વિચાર મૂકવાનો છે. હું આનંદમય છું. દુઃખ એ તો બહારનો વિચાર છે, લોકોએ બેસાડેલો વિચાર છે. તમે જો સુખી થવા માગતા હો, કેવળ સુખી થવા માગતા હો તો આજથી જ થઈ શકો એમ છો. પણ લોકો પોતે સુખી થવા નથી માગતા, બીજાની અપેક્ષાએ સુખી થવા માગે છે. પોતે જો સુખી થવા માગે તો બની શકે પણ બધા લોકોની નજરમાં સુખી બને એ કેમ બની શકે ? લોકોની અપેક્ષા તમારા હાથમાં નથી અને લોકોના સુખ માટે તમારો અભિપ્રાય બહુ વધારે પડતો છે. ગુણોની બાબતમાં નહિ, દુન્યવી વસ્તુઓ માટે બીજાની પાસે એકાદી ગાડી હોય કે મોટું મકાન હોય તો તમે માનો કે ઓહોહોહો ! એની પાસે કેટલું બધું છે, આ માણસ કેટલો સુખી છે ! હવે એની અપેક્ષાએ તમે સુખી કેવી રીતે બનો ? તમને ગમે તેટલું સુખ મળે છતાં તમે તમારું ઓછું જ માનવાના અને બીજાનું વધારે જ માનવાના. એટલે તમારું માનસિક, લઘુતાગ્રંથિજન્ય દુ:ખ ચાલુ જ રહેવાનું. પણ તમે મનથી નક્કી કરો કે મારે એના જેવા નથી થવું. મારે ખાવા ધાન અને રહેવા સ્થાન છે. આમાં રહેલા સત્ત્વને, તત્ત્વને, જ્ઞાનને વિકસાવું. મારે નિરપેક્ષ સુખી થવું છે. કેટલાક કહે છે Happiness is relative - સુખ સાપેક્ષ છે; સાચું. બીજાના ઉપર આધાર રાખો છો ત્યારે સાપેક્ષ (relative) છે, પણ જ્યારે તમે સ્વતંત્ર બની જાઓ છો ત્યારે (Relative) નીકળી જાય છે. પછી તમે તમારી રીતે સુખી બનવા માગો છો. જે ઘડીએ આ વિચાર જાગ્યો, પછી જે નાની નાની વાતો બીજાને હેરાન કરતી હોય છે તેને તો ગણકારશો નહિ. જીવન પ્રત્યેનું તમારું દર્શન જ બદલાઈ ગયું હશે. કુદરતમાં થોડું અનુકૂળ અને પ્રતિકૂળ ચાલ્યા જ કરે. એનો આ સ્વભાવ છે. એ સ્વભાવમાં થોડું ગોઠવીને માણસે adjust - અનુકૂળ થઈ શાંતિથી જીવવાનું છે. - રવિવારે તૈયાર થાઓ અને વ્યાખ્યાનમાં આવવાને સમયે વરસાદ આવ્યો તો તમે શું કહો ? અત્યારે આ વરસાદ ક્યાંથી આવી પડ્યો ? વરસાદે તો હેરાન કરી નાખ્યા, વર્ષાઋતુમાં વરસાદ આવે છે તો હેરાન થાઓ છો કે વરસાદ નથી આવતો તો હેરાન થાઓ છો એ વિચાર્યું ? માણસને તાત્કાલિક સગવડ જોઈએ છે. એની પાસે છત્રી નથી. એને ઘરમાંથી ટૅક્સીમાં બેસવું છે. ત્યાં સુધી વરસાદ ઊભો રહી જાય તો એનાં કપડાં ૩૮ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy