SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૪. સોનું પોતાને પિત્તળ માને તેનું શું ? >&>4 >&>4 જગતમાં જે કાંઈ આપણાથી સર્જન કે વિસર્જન વાસ્તવિક બને છે એની કલ્પના પહેલાં એ વિચાર આકાર લે છે. ચિત્રકારના મનમાં વિચારોનું એક રેખાચિત્ર આકાર લે છે અને પછી જ એ પીંછી હાથમાં લે છે અને ફલક (canvas) ઉપર ચીતરવાનું શરૂ કરે છે. શિલ્પીના મનમાં આકૃતિ આકાર લે છે ત્યારે જ એને પથ્થરમાં કંડારીને આકાર આપે છે. સર્જન પહેલાં મનોભૂમિકામાં થાય છે, પછી જગતમાં દેખાય છે. જે દૃશ્ય છે એની પાછળ અદૃશ્ય કામ કરી રહ્યું છે. જે દેખાતું નથી એ કારણ છે અને જે દેખાય છે એ એનું કાર્ય છે. કારણ શાશ્વત છે, કાર્ય પરિવર્તનશીલ transient. પીંછી વડે દોરાયેલું ચિત્ર નાશ થાય પણ જેણે ચિત્રનું મનમાં સર્જન કર્યું તે આત્મશક્તિ કોઈ દિવસ નષ્ટ થવાની નથી. જે સુખી બન્યા, સમૃદ્ધિવાન બન્યા, માનવતાનાં મૂલ્ય * ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy