SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોથી થાકી ગયો એ કહે કે હું બીમાર છું. અને બીમારીના વિચારોને લીધે ધીમે ધીમે બીમારીઓ વધતી જ જાય. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ એ બધી મહાન વ્યક્તિઓએ અંદરની દુનિયામાં પરિવર્તન આપ્યું અને બહારનું બધું પલટાઈ ગયું. ગાડીને બીજે માર્ગે વાળવી હોય તો નીચે ઊતરીને ચારે ટાયરને ફેરવવાની જરૂર નથી; steeringને જરાક વળાંક આપો, બદલો અને ચાર પૈડાં એ રીતે ફરી જશે. આ ડ્રાઇવિંગનો અનુભવ એ જ વિચારોનો અનુભવ છે. વિચારોનું steering જેના હાથમાં બરોબર છે એ જે દિશામાં જીવનપ્રવાહને બદલવા માગે છે એ દિશામાં એ પરિવર્તન લાવી શકે છે. ઉપરની દુનિયામાં જવું હોય તો નીચી બાજુના વિચારોને જોવાનું બંધ કરવું જોઈએ, એવા મિત્રોને મળવાનું બંધ કરવું જોઈએ. સત્ય, શુભ અને સૌંદર્યના વિચારોનું ધ્યાન જ માણસને ઊર્ધ્વગામી બનાવે છે. ૩૪ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy