SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કક્ષા પ્રાપ્ત કરી એ પહેલાં વિચારોની દુનિયામાં તૈયાર થયા. માણસનો આ જ આંતરવૈભવ છે જેને સુખી બનવું છે, આનંદમય બનવું છે એ પોતાના વિચારોમાં એવો બને. એને લાગવું જોઈએ કે હું આનંદમય છું. જ્યાં સુધી પોતાના વિચારોમાં પોતે આનંદમય છે એનો અનુભવ ન કરે એ જ ધૂનમાં જ્યાં સુધી એ વિચારે નહિ ત્યાં સુધી એ આનંદમય કેમ બની શકે ? એક વાર હું મરીનડ્રાઇવ દરિયાની પાળે ચાલ્યો જતો હતો. સામેના મકાનમાં છઠે માળે કૂતરો ઊભો ઊભો ભસતો હતો. પાછળ વળીને જોયું તો મારી પાછળ એક ગરીબ કૂતરું ચાલ્યું આવતું હતું. એને જોઈ પેલો છછું માળેથી ભસ્યા કરે, કારણ કે એ અજ્ઞાની છે. એટલે એ દુ:ખી છે. એને આનંદ નથી. ભલે એ દરિયાની સામે બેઠેલો છે, મોટા મકાનમાં બેઠેલો છે, કરોડપતિની કારમાં સાંજે ફરવા જાય છે, પણ એને પોતાનું જ્ઞાન નથી. શેઠની ખુરશી અગર ગાડી ઉપર, જ્યાં મુનીમ પણ ન બેસી શકે ત્યાં બેસી શકે એટલું માન અને સ્થાન મળેલું છે એનું ભાન બિચારા એ કૂતરાને નથી. એને ખબર નથી કે હું કરોડપતિનો સાથી – companion છું. એમ જ્યાં સુધી માણસ અંદર નક્કી નહિ કરે કે હું સુખી છું ત્યાં સુધી એને કોઈ સખી નહિ બનાવી શકે. તમે એને પૈસા આપો, દાગીના આપો, હીરા ને પન્ના આપો, મોટામાં મોટી ગાડી અને ઊંચામાં ઊંચો flat આપો, સારામાં સારી સગવડ આપો પણ એ દુ:ખી શા માટે ? એને ખબર જ નથી કે અંદર કોણ બિરાજે છે ! એ તો માને છે કે હું દુઃખી છું, પાપી છું. માનવીના મન ઉપર એવા વિચારો ઠસાવી દેવામાં આવે છે કે તું પાપી છો, અધર્મી છો, પાપથી ભરેલો છો. તારા પાપમાંથી તને ભગવાન આવે તો જ છોડાવી શકે એટલે જ તો લોકો અવતાર માટે પ્રાર્થના કરે છે પણ અવતાર આવીને ઊભો રહે છે ત્યારે કહે કે તમે અમારી વચ્ચે કેમ આવ્યા ? અમે તો પાપી છીએ જ; હવે તમે અમારામાં આવ્યા તો તમે પણ પાપી, અમે તમને ખતમ કરીશું. માણસે વિચારો બદલવાની જરૂર છે, વિચારોમાં નવી દષ્ટિ લાવવાની છે. ભગવાન સ્વરૂપ એવો હું આત્મા, પાપી કેમ ? ભગવાન મહાવીરે કહ્યું : તું ભગવાન છે, તું ભૂલી ગયો છે એટલે બીજી રીતે આચરી રહ્યો છે. તું ભગવાન છે એ જો યાદ કરીશ, સમજી લઈશ તો તે નિર્બળતામાંથી ઊભો થઈશ. માણસ ઉપર લદાયેલા ખોટા સંસ્કારો, પાપી ન હોવા છતાં પોતાને પાપી માને છે. ૩૬ ૯ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy