SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. ત્યારે એ આંજી દેતા તેના પુજને હટાવવા માટે આપણે એક યા બીજો માર્ગ લઈએ છીએ. આજ સુધી બધે, બસ, આવું જ બન્યું છે. આમ થતું અટકાવી ન શકાય ? આ અનિષ્ટનું પુનરાવર્તન થતું અટકાવવા માટે આપણે સૌ આત્મસંશોધન કરીએ, આત્મસમીક્ષા કરીએ, આત્મપરીક્ષણ કરીએ. મિત્રો, તમે સૌ નાનકડા છો, અને હજુ ભણો છો. છતાં આ સવાલ તમારી પાસે એટલા માટે મૂક્યો છે કે, આવતી કાલ, દેશ, ધર્મ સમાજ એ બધું તમારા હાથમાં છે. આવતી કાલનું, આ દેશનું, ધર્મનું, અને સમાજનું સુકાન આખરે તમારા વિના કોણ સંભાળવાનું છે ? - તમારા પાયામાં આજે જે વિચારો પડેલા હશે તે જ આવતીકાલે પાંગરવાના છે. આ વિચારોનાં બીજ સારાં હશે તો તે બીજ આવતી કાલે વટવૃક્ષ બનશે. એ વૃક્ષ આપણા દેશ, સમાજ તેમજ ધર્મને છાયા આપશે, ફળ આપશે અને મધુરાં પરિણામો આપશે. એટલે, આજે હું જે વિચાર આપની સમક્ષ મૂકું છું તે ધ્યાન દઈને સાંભળજો, તેમજ એકાગ્ર બનીને વિચારજો કે આ દિવસે એક સમર્થ પુરુષનું લોહી રેડાયું હોવા છતાં પણ, આપણા દેશમાંથી જે બદીઓ ઓછી થવી જોઈએ, જે અનીતિ અટકી જવી જોઈએ, તે સઘળું અકબંધ રહીને આપણને સૌને પરેશાન કરી રહ્યું છે. સમજાતું નથી કે જગત હજી આવાં કેટલાં બલિદાન માગે છે; અને કેટકેટલાં બલિદાન અપાશે ત્યારે આપણે આ બદીઓ, આ સંકુચિતતા, આ અનીતિ ને રાગદ્વેષના વિષવર્તનમાંથી બહાર નીકળી શકીશું ! મહાપુરુષનું બલિદાન જો આપણે માટે જીવનપરિવર્તન લાવનારું પ્રેરક ન બને તો પછી આપણે આપણી જાતને માનવ તરીકે ઓળખાવવા માટે લાયક ગણાઈએ ખરા ? એક પછી એક બલિદાન દેવાતાં જાય છે, અને છતાં આપણે “ઠેરના ઠેર' ઊભા રહીને આનંદ માન્યા કરીએ છીએ, એ આપણી માનવતા માટે ખરેખર એક કમનસીબ અને શોચનીય બીના છે. જે લોકો “મુત્સદી' કહેવાતા હોય, જેઓ પોતાની જાતને દુનિયાના ડાહ્યાઓ'માં ખપાવતા હોય, જે લોકો મનમાં હસતા હોય અને બહાર રડવાનો આવતી કાલના નાગરિકોને ૬ ૪૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy