SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાવ કરતા હોય તેમની વાતો જવા દો. તેમને મારે કશું કહેવાનું નથી. મારે તો મારા મનની વાત તમને કહેવી છે, કારણ કે તમે આજે સરળ છો, નિખાલસ છો, તમારા મનમાં હજી દુનિયાની રમતના દાવપેચ આવ્યા નથી. "મન સાકર તમારે આજે વિચારવાનું છે કે, આપણા દેશ માટે તમારે હવે શું કરવાનું છે. આજના દિવસે આપણે આપણા શુભ માટેનો થોડા પણ સંકલ્પ કરીએ. મનની અંદર જે બદી છે તેને હટાવવા માટે આજે જો આપણે નિર્ણય કરીશું તો જ આજનો દિવસ આપણે માટે પવિત્ર બનશે બાકી તો, આજનો દિવસ પવિત્ર નથી; કારણ કે એ શોકનો દિવસ છે, ગમગીનીનો દિવસ છે. ખરી રીતે કહું તો આજે તો શ્રાદ્ધનો દિવસ છે. કહો, આ શ્રાદ્ધના દિવસે તમે શું આપશો ? હું તો ઇચ્છું કે આજથી તમે તમારા દુર્ગુણોનું બલિદાન આપો. અને તમારા સદ્ગુણો એમના સ્મરણમાં તર્પણરૂપે અર્પણ કરો. અને નક્કી કરો કે આજથી અમે સગુણો કેળવીશું, અને દુર્ગણોને દેશનિકાલ કરીશું, દેહનિકાલ કરીશું. આટલું નક્કી કર્યા પછી એ સગુણોને કેળવવા માટે તેમજ દુર્ગુણોને દેશનિકાલ કરવા માટે શો માર્ગ લેવો તે સવાલ આપણી સામે ઊભો થાય છે. તેના ઉત્તરરૂપે નીચેની બે-ત્રણ વાત આપ સમક્ષ રજૂ કરું છું. આજના પ્રવચનની શરૂઆતમાં મેં એક શ્લોક રજૂ કર્યો હતો : जानन्ति केचिद् न तु कर्तुमीशा: कर्तु क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुन ते केऽपि लोके विरला भवन्ति ।। આ શ્લોકમાં કવિ કહે છે કે, ઘણા લોકો જાણકાર હોય છે, પરંતુ તે કરી શકતા નથી. જ્યારે ઘણા ભાઈઓ કરવા માટે સમર્થ હોય છે; પણ કંઈ જાણતા નથી હોતા. જીવનનું તત્ત્વ જાણે અને તે પ્રમાણે અમલમાં મૂકે તેવા માણસો તો વિશ્વમાં બહુ વિરલ - બહુ થોડા હોય છે. એક બાજુ આંધળા છે, અને બીજી બાજુ લંગડા છે. જે લોકો અભણે છે તે લોકો અંધ છે, કારણ કે તેમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. જો લોકો જાણકાર-ભણેલા-જ્ઞાનના નેત્રવાળા છે તે લંગડા છે; કારણ કે, જાણ્યા પ્રમાણે કરી શકતા નથી. આચારમાં મૂકી શકતા નથી. આજે ગામડાના અભણ અને અજ્ઞાન માણસો મનમાં કંઈક કરવાની ભાવના લઈને બેઠા છે, પરંતુ શું કરવું, અને કયા માર્ગે જવું એની દિશા એમને સૂઝતી નથી. જ્યારે બીજી બાજુ, આપણા ભણેલા વર્ગ પાસે અનેક ડીગ્રીઓ ૪૨૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy