SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર, આ દેશ માટે આ કેટલી બધી કરુણ વાત છે ! આ રીતે વિચારીશું તો આપણને સમજાશે કે આ એક એવો દિવસ છે કે જેની કમનસીબી સાથે આપણા ત્રણસો ને સાઠ દિવસોમાંથી કોઈ પણ દિવસને સરખાવી શકાય તેમ નથી. એવો એ રક્તપિપાસુ દિવસ છે અને વધુ શરમાવનારી બીના તો એ છે કે, દેશની આઝાદી ખાતર જાતને ઘસી નાખનાર વ્યક્તિને ગોળીએ મારનાર પણ આપણામાંનો જ એક – આપણો જ માનવબંધુ હતો ! આમ કેમ બન્યું હશે ? ઊંડો વિચાર કરીને આ સવાલનો જવાબ શોધીશું તો સમજાશે કે આપણા આંતરિક કલહો, આપણી આંતરિક સંકુચિતતાઓ અને આપણા સુદ્ર તેમજ સામાન્ય વિચારોએ જ આ ભયાનક દિવસની પૂર્વભૂમિકાનું સર્જન કર્યું છે. ઘુવડ જેમ સૂર્યનો પ્રકાશ ઝીલી શકતું નથી તેમ આપણી ક્ષુદ્રતા અને સંકુચિતતા પણ મહાપુરુષોના વિશાળ અને ઉદાર વિચારોને ઝીલવા અસમર્થ છે. દુનિયામાં ઠેરઠેર આવું જ બન્યું છે. જ્યારે જ્યારે કોઈ નવો ક્રાંતિકારી પુરુષ જગતને આંગણે આવ્યો છે ત્યારે ત્યારે એક યા બીજી રીતે પ્રજાએ એને વીંધ્યો છે કે પછી ભલે પાછળથી એને પૂજ્યો હોય. જગતના ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જણાશે કે સોક્રેટિસને એથેન્સમાં ઝેરનો પ્યાલો મળ્યો છે; ભગવાન મહાવીરના કાનમાં ખીલા મરાયા છે; મીરાંને ઝેર અપાયું છે; અબ્રાહમ લિંકનનું પણ બલિદાન લેવાયું છે અને એવી જ રીતે છેલ્લે છેલ્લે મહાત્માજીને માટે પણ એવી જ બીના બની છે. આ ઉપરથી એક વિચાર તો એવો પણ આવે છે કે, જગત આજે એ વીરોને એટલા માટે જ પૂજે છે કે, તે આજે આપણી સામે નથી. આજે પણ જો તે આપણી સામે આવે તો, આજે પણ કદાચ એમને ગોળી ઝીલવાનો જ વારો આવે. જૉન ઑફ આર્કનું નાટક લખતી વખતે જ્યોર્જ બર્નાર્ડ શૉએ પણ આવી જ વાત કરી છે. તે લખે છે કે, જે પ્રજા આજે જન ઑફ આર્કને પૂજી રહી છે તે જ પ્રજાની સામે ફરીથી પણ જો જોન ઑફ આર્ક આવે તો, ફરીથી પણ પૂજા કરનારી પ્રજા એને બાળી મૂકે તો એ આશ્ચર્ય નહીં ગણાય ! ઉપરની વાત ઉપરથી એમ લાગે છે કે, જ્યારે આપણી સામે ઝગમગતા તેજનો સૂર્ય આવે છે ત્યારે એનાં તેજ ઝીલવા માટે આપણે અસમર્થ નીવડીએ ૪૧૮ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy