SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ને ? હાથ સળવળે છે કે ઝટ લઈ લઉં ? પગ ઉતાવળ કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આમ એ બધાય ત્યાં કામે લાગી જાય છે. આ બધું કોના કહેવાથી ? પેલા લોભના કહેવાથી. લોભના કહેવાથી વસ્તુ પડાવી લેવા જનાર જ્યારે પકડાઈ જાય છે, ત્યારે દંડ કોને મળે છે ? આ શરીરમાં વસેલા આત્માને, ગગનવિહારી આપણા ચૈતન્યને. આપણા શરીરમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે બધાં બેઠાં છે, પણ એ બરાબર સંતાઈને, અને આપણાં પોતીકાં થઈને બેઠાં છે. માણસ તેમને જોઈ શકતો નથી, અને તેથી એ પોતીકાં જ આપણને છેવટે હેરાન પરેશાન કરી નાંખે છે. એટલે મિત્રો ! આપણે હવે વિચાર કરવાનો છે કે આપણું આ માન, આપણો લોભ, આપણી માયા, આપણો ક્રોધ જે બધાં આપણામાં ઘર કરીને બેઠાં છે તેને દૂર કરવાં. આ બધાં પાશવી તત્ત્વો છે એ પાશવી તત્ત્વો માનવીમાં બેસી જઈને એની પાસે એવાં ખરાબ કામ કરાવે છે કે અંદરનું આપણું દેવત્વ પોતાના દેવત્વને ભૂલી જાય છે. આ તત્ત્વજ્ઞાન સમજાવે છે કે વૃત્તિઓ આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા છીએ. એ જ વૃત્તિઓ છૂટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ. ઇન્દ્રિયોનું સંવરણ કરી, વૃત્તિઓને શાન્ત કરી સ્વને પૂછીએ કે “અત્યારે હું કોણ છું ?” મહાત્મા કે પાપાત્મા ? આ સમજવા માટે મને એક વાત યાદ આવે છે ? કાશીરાજ અને કૌશલરાજની આ વાત છે. કાશીરાજ મોટો રાજવી હતો ને કોશલરાજ નાનકડો રાજવી હતો. કોશલરાજ આમ તો નાનકડો રાજવી હતો, પરંતુ એની પાસે અંદરની સુંદરતા, દિવ્યતા વિશેષ હતી. એ રાજા, રાજ્ય કરવા કરતાંય, લોકોની અંદર સૂતેલ દિવ્યતાનું રક્ષણ કરવામાં વધુ માનતો હતો. પોતાના ચિત્તની ચીમની કદીય કાળી ન થાય એની સંભાળ રાખી એ મૈત્રીના પ્રકાશમાં આવતો. એના રાજ્યમાં પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો એણે બંધન અને મુક્તિ કે ૪૦પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy