SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જવા દઉં, “ઉવસમેણ હણે કોહં.” – ઉપશમથી ક્રોધને હણો. ક્રોધ આવે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! એની આંખ લાલ થાય, દાંત કચકચાવે. મૂઠી વાળી મારવા દોડે – આ બધો ક્રોધનો આવિષ્કાર છે. અને આવો ક્રોધ કોને નથી આવતો ? જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તો ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા; તું આવ્યો છે તે મેં જોયો. જો બહાર નીકળીશ તો અમને બધાને તે હેરાન કરી મૂકીશ. આમ જ્ઞાનીઓ પોતાના ક્રોધને સમજાવે છે, સમજથી ક્રોધ નીચે બેસી જાય છે, શમી જાય છે. આપણા માનનું પણ આવું છે. “હું મોટો”નો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે. ગામમાં એક માનવી પોતાને મોટો માનતો હોય ને કોઈક બીજો માણસ વાત વાતમાં એને કહે – “તું શેનો મોટો ?' તો એમાંથી કદાચ ભડકો થાય, બોલાચાલી થાય, મારામારી થાય, એના હાથમાં હોય તેનો એ છૂટો ઘા કરે અને એમાંથી કદાચ ભયાનક પરિસ્થિતિ પણ સર્જાય. એટલે આપણે જોયું કે અંદરથી પેલો “હું” આવે છે અને બધે અંધાધૂંધી ફેલાવે છે. “હું મોટો”ના સવાલમાંથી એવી મોટી ધમાલ ઊભી થઈ જાય છે કે ઘણી વખત તો એમાંથી ગામના સરપંચ કે પંચનાં માથાં પણ ઊડી જાય છે. આવે વખતે સરકારના માણસ આવીને કહે છે કે ભાઈ, હમણાં તમે જરા જરા માંદા થઈ ગયા છો; હમણાં તમને માનનો રોગ લાગુ પડ્યો છે, એટલે જ્યાં સુધી તમારો એ રોગ મટે નહિ, ત્યાં સુધી થોડા દિવસ – હવે તમે આ જેલમાં બેસો, કે જેથી તમારો ક્રોધ, તમારા અહંનો આવેશ જરા નીચે બેસે. આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. આ રોગ આવે છે એટલે અમુક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી લાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેના સંજોગો ન હોય તોય એ લોભી માણસ તો એમ જ વિચારવાનો કે ગમે તેમ કરીને એ પડાવી લઉં, મેળવી લઉં ને ભોગવું. આ રીતે પડાવી લેવાનો વિચાર લોભનો છે; લોભ આગેવાન બને છે ત્યારે પાંચેપાંચ ઇન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ ચારે બાજુ જુએ છે કે કોઈ જોતું તો નથી ને ? કાન ધ્યાન રાખે છે કે કોઈ આવતું તો નથી ૪૦૪ જ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy