SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે થઈને પસાર થાય છે ત્યારે, વ્યથાથી પીડાતા બીમાર માણસોના ખાટલા ત્યાં જુએ છે, એમની ચીસો સાંભળે છે, એમના આર્તનાદ સાંભળે છે, અને એના હૃદયમાં એક કરુણાપૂર્ણ વિચાર આવી જાય છે કે જીવન એટલે શું ? આ જ ?' બીમારીનું આ દૃશ્ય જોનાર માણસ, અન્ય કાળે ભલે ઉન્માદભર્યો હોય, તોફાનભર્યો હોય, ધરતીને ધમધમાવી ચાલતો હોય, પણ તે વખતે તો એ ત્યાં જરાક નરમ બને છે. એને વિચાર આવે છે કે આખરે માનવીની આ કાયા એ તો રોગનું ઘર છે. રોગો નથી આવ્યા ત્યાં સુધી એ ઠીક છે. પણ એ આવે છે ત્યારે એ નથી જોતું સત્તાધીશોને કે નથી જોતું શ્રીમંતોને; નથી જોતું મોટા માણસને કે નથી જોતું પહેલવાનને. એ વ્યક્તિને ઓળખવા બેસતું નથી, કે આ કોણ છે ? એ તો જ્યારે આવે છે ત્યારે ભલભલાને આમ ઢાળી દે છે. એવી જ રીતે લગ્નનો મંડપ હોય, લગ્નનાં ગીતો ગવાતાં હોય અને વૃદ્ધ માણસ પણ ત્યાં થઈને પસાર થાય તો તેના સ્મૃતિપટ પર ક્ષણભર તો પોતાના લગ્નના દિવસોની સ્મૃતિ આવી જાય છે, અને એ વૃદ્ધ પણ પળભર તો આનંદમાં અને આનંદનાં પેલાં ગીતોમાં તરબોળ બની જાય છે. આમ લગ્નનું પણ એક વિશિષ્ટ વાતાવરણ હોય છે. એ જ રીતે જેલનું પણ આગવું વાતાવરણ હોય છે; આંસુનું પણ એક મૌલિક વાતાવરણ હોય છે. હું માનું છું કે દવાખાનાના, લગ્નના, સંસારના અને ઉન્માદના વાતાવરણ કરતાં, આ વાતાવરણ ઘણી રીતે જુદું છે, વિશિષ્ટ છે, વિચારપ્રેરક છે. અહીંના આ તોતિંગ દરવાજામાં જ્યારે હું પેઠો, ત્યારે મને પ્રથમ વિચાર એ આવ્યો કે અંદરના કેદીઓ જેવા, આપણે બધા પણ શું કેદીઓ જ નથી ? ખરેખર, કોઈક માણસ દીવાલની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાય તેમ છે કે દીવાલની કેદ કરતાં, વાસનાની અને વેરની આ કેદ વધુ જબ્બર કેદ છે. દીવાલની કેદમાંથી તો વર્ષો પછી પણ માણસની મુક્તિ થાય છે, પાંચપચ્ચીસ વર્ષે પણ માનવી એમાંથી છૂટીને પોતાના ઘેર ભેગો થાય છે, પરંતુ જે વાસનાની જેલમાં પુરાયો છે, જે વેરનાં ઝેરની વૃત્તિઓની જંજીરમાં જકડાયો છે, તેને મુક્તિ મળવી, એ બહુ મુશ્કેલ વાત છે. એ જેલ અને એ જંજીર, સાચે જ માનવી માટે બહુ જબ્બર અને જાલિમ છે. ૩૯૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy