SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ અને આવનાર મૃત્યુ પછી પણ જીવન રહેવાનું છે. આ કિનારે પણ જીવન છે અને સામે કિનારે પણ જીવન છે. વચ્ચે જન્મ-મરણનો પ્રવાહ છે. કર્મવાસનાને લીધે આ આત્માને જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણ કરવું પડે છે. જેમ કોઈ તુંબડા પર કીચડના થર જામ્યા હોય તો તે કીચડના કારણે એટલા સમય પૂરતું પાણીમાં ડૂબે, પણ ઉપરનો કીચડ અને કચરો દૂર કરો એટલે એ તરત અધ્ધર આવે અને પાણીની સપાટી ઉપર આવી તરવા લાગે. આત્મા પણ વાસના અને કર્મના કીચડને કારણે જન્મમરણની સરિતામાં ડૂબે છે. એ વાસના દૂર થતાં આત્મા એક ક્ષણમાં ઉપર આવે. એને ઉપર લાવવો નથી પડતો, એ આવે જ. ઉપર આવવું એ જ એનો સ્વભાવ છે. દીપકની જ્યોતનો સ્વભાવ જ છે ઉપર જવું છે. દીવાને ઊંધો કરો પણ જ્યોત ઊંધી નહિ થાય. જ્યોતનો સ્વભાવ નીચે જવાનો છે જ નહિ. એ તો ઉપર જ જાય. સમ્યગ્ દર્શન એ આત્માની રુચિ છે. સમ્યક્ જ્ઞાન એ આત્માની સમજણ છે, સમ્યક્ ચરિત્ર એ આત્માનો અનુભવરસ છે. આ છેલ્લી ભૂમિકામાં પ્રશ્ન, પ્રશ્ન નથી રહેતો, ઉત્તર બને છે. ગુંજન, ગુંજન નથી રહેતું, તૃપ્તિ બને છે. ભ્રમર અને ફૂલમાં આ ત્રણે ભૂમિકાનું દર્શન થાય છે. કોઈ એક બગીચામાં સુંદર એવું ફૂલ ખીલ્યું છે. ભ્રમરને એની સુવાસ આવે છે, સુવાસ આવતાં જ એ ફૂલ અમુક દિશાએ આવેલા બગીચામાં હોવું જોઈએ એવી એને ઝાંખી થાય છે આ થયું દર્શન. હવે ભ્રમર ઊડતો ઊડતો જે બગીચામાંથી ફૂલની સુવાસ આવે છે ત્યાં પહોંચે છે, ફૂલ ક્યાં છે એ શોધી કાઢે છે આ થયું જ્ઞાન. પછી ફૂલની અંદર એ રસપાન કરવા બેસી જાય છે. ન ઉડ્ડયન છે, ન ગુંજન છે. માત્ર ચૂસવાની મન્નતા છે. શાન્ત અને મગ્ન બની મધપાન કરવામાં લીન થઈ જાય છે આ થયું ચારિત્ર. ચારિત્ર આત્મતત્ત્વની રમણતા છે. - Jain Education International - આ तस्य एव अहम् તત્ત્વજ્ઞાનની જે બીજી એક પદ્ધતિ છે એ રીતે તસ્યેવામ્: હું તેનો જ છું तवैवाहम् : હું તારો જ છું तव एव अहम् त्वम् एव अहम् ત્વમેવાË : તું એ જ હું છું ચારિત્ર. દર્શનમાં સાધક ૫૨માત્માના પ્રત્યક્ષ મિલનથી અજાણ છે. આપ્ત પુરુષના કહેવાથી એને શ્રદ્ધા થઈ છે. આ પ્રથમ ભૂમિકામાં શ્રદ્ધાળુ આત્મા કહે છે : હું તેનો છું. આમાં પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન ત્રીજા પુરુષમાં છે. ભગવાનને જોયો નથી પણ એના વિશે સાંભળ્યું છે. પછી આવે છે દ્વિતીય ભૂમિકા, પહેલામાં દર્શન હતું. હવે જ્ઞાન થયું છે. - રત્નત્રયી * ૩૮૫ For Private & Personal Use Only - - જ્ઞાન. - વાત વિચારીએઃ દર્શન. www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy