SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્મચક્ષુના છે, ઓળખ દિવ્ય નયનની છે. દિવ્ય નયનમાં હું કોણ છું તેની જાણ છે. એ જ્ઞાનદૃષ્ટિ છે. આ દૃષ્ટિના વિકાસ પછી લોકો પૂછે તો પોતાનું નામ જરૂર બતાવે, પણ અંદરથી ન્યારો રહે એમાં આસક્ત ન થઈ જાય. આ દૃષ્ટિ આવતાં સંપ્રદાયોનો મોહ એની મેળે જ વિલીન થઈ જશે. એકતા માત્ર ભાષણોથી નહિ, સમજણથી આવે છે. આત્માની સાચી સમજ વધતાં ગચ્છ અને ફિરકાઓનાં બંધન એની મેળે જ તૂટી જશે. ઝાડ મોટું થાય તો વાડ ૨હે ? અરે, ઘણી વાર તો ઝાડનો વિસ્તાર વાડને તોડી નાખે છે ! આત્માની સમજ વિનાની એકતા એ ઉપ૨ની એકતા છે. નીચે નામનો મોહ તો છુપાઈને બેઠો જ છે; નામનાની જરાક તક મળતાં એ એકતામાં તડ પડતાં વાર નહિ લાગે ! અજ્ઞાનીઓની એકતા પાણીથી બાંધેલા રેતીના લાડુ જેવી છે. તાપ પડતાં એ છૂટા પડ્યા વિના નહિ રહે. — સમયક્ જ્ઞાનની દૃષ્ટિ જ કોઈ ઓર છે; એમાં સહજ સંપ શુદ્ધ પ્રેમ છે. આ દૃષ્ટિમાં આત્માનું જોડાણ છે. નામ ઓગળી ગયું છે. બસ, પછી આત્માઓની પ્રેમમય સૃષ્ટિ જ છે, આત્મમિલનનો પરમ રસ છે, આત્મદૃષ્ટિ રસેશ્વર છે. તમને કાચમાં જોવાની કળા આવડે છે ? તમે તમને બરાબર જુઓ છો ? અંદર કોણ દેખાય છે ? આત્મા દેખાય છે કે શરીરનું પ્રતિબિંબ દેખાય છે ? અંદર દેખાય છે તે તું નથી; તું તો, નથી દેખાતો તે તું છે. શરીર દેખાય છે, પણ તે દેખી શકતું નથી. તે તો શરીરની અંદર, આંખની બારીની પાછળ બેઠો છે, કાચની સામે તો પૂતળું ઊભું છે. પૂતળું પોતે પોતાને જોઈ શકતું નથી. આત્મા પ્રયાણ કરી જતાં આ પૂતળું થોડું જ પોતાને જોવા કાચની સામે ઊભું થવાનું છે ? પેલો જે નિરાકાર છે તે આ આકારને જોઈ રહ્યો છે. આકાર બદલાયા કરે છે. નાનામાંથી મોટો થાય, મોટામાંથી વૃદ્ધ થાય; વૃદ્ધ થતાં ઘસાઈને ક્ષય થાય ! યૌવનમાં માંસથી લસલસતી કાયા ઘડપણમાં મુઠ્ઠીભર હાડકાંમાં ફેરવાઈ જાય છે ને ? આ બધી વધઘટ છે. વધઘટ એટલે પુદ્ગલ. પુદ્ગલની વ્યાખ્યા જ એ કે પુરાવવું અને ગળવું. ભરાય, ખાલી થાય. કેવી રીતે ભરાય અને કેવી રીતે ખાલી થાય તે વિચારો એટલે પુદ્ગલની અસારતા અને ચંચળતા સમજાશે. કોઈએ પૂછેલું કે શરીર અને આત્માને જુદાં કેમ જાણવાં ? પૂછનાર ભાઈ સુખી હતા. જ્યાં જાય ત્યાં કૅમેરો તો તેમની પાસે હોય જ. ફોટાના ભારે શોખીન. Jain Education International રત્નત્રયી × ૩૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy