SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવરણ માણસની પરિસ્થિતિ પર નિર્ભર છે. માણસ નિર્બળ તો વાતાવરણ બળવાન. માણસ સબળ તો વાતાવરણ નિર્બળ. પછી વાતાવરણ માણસને નહિ, માણસ વાતાવરણને બદલે છે. તમારી શાન્તિના ભોગે તમે કંઈ જ ન કરો. સ્વાધ્યાયની મજા શાન્તિમાં છે. સ્વનું અધ્યાયન તે સ્વાધ્યાય. આ સ્વનું અધ્યયન શાન્તિ વિના કેમ થાય ? તરંગોવિહોણા શાન્ત જળમાં જેમ સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે તેમ નિર્વિકારી અને વિકલ્પવિહોણા શાન્ત અને સ્વચ્છ ચિત્તમાં ‘હું કોણ'નો અનુભવ-પ્રકાશ ઝિલાય છે. “હું કોણ છું' એનો અનુભવ નથી એટલે જ લોકો પરદત્ત નામના મોહમાં ફસાયા છે. નામના માટે માણસ પરેશાન પરેશાન થઈ જાય છે. ઘણી વાર તો એ નામની આ ભૂખને તૃપ્ત કરવા ધર્મસ્થાનોમાં અને સાધુસંતો પાસે પણ જતો હોય છે. ત્યાં ધર્મ કરતો કરતો પણ પોતાનું નામ કેમ વધે તે આડકતરી રીતે જોતો રહે છે. નામની મહત્તા એટલી બધી છે કે મરણપથારીએ પડેલા માણસનું નામ બોલે એટલે એ આંખ ઉઘાડે. તે વખતે ઘરના કોઈ યાદ ન આવે પણ પોતાનું નામ તો યાદ આવે જ. વિચારી જુઓ : નામ જન્મથી નથી લાવ્યા; નામ પાડેલું છે, આપેલું છે, બીજાએ દીધેલું છે; છતાં તે માણસના મનને કેવું વળગ્યું છે ! ઉછીની વસ્તુ પર કેટલો મોહ ! જે સાધક આત્મલક્ષી આત્મલક્ષી છે, તે કોઈપણ પ્રકારની પદવીથી રાજી નહિ થાય. તેને નામથી નહિ, રામથી કામ છે. એનું નામ ભૂંસાઈ જાય તોય એને દુઃખ ન થાય. એ જાણે છે કે હું તો અનામી છું. નામ કોઈએ આપ્યું હતું અને એમણે જ ભૂંસી નાંખ્યું. નાની નાની વાતમાં લોકો અકળાઈ જાય છે. આત્મના અજ્ઞાનને લીધે માણસો આળા મનના થઈ ગયા છે. એમને નાની નાની વાતમાં અપમાન લાગે. જરીકમાં નારાજ થઈ જાય. પણ એ ભૂલી જાય છે કે જે પોતાની જાતનું જ ગૌરવ ન સમજે તે તમને ગૌરવ ક્યાંથી આપે ? જે પોતાને સમજે છે તે જ બીજાને સમજવા કંઈફ સફળ થઈ શકે છે. એક જાહેર પ્રવચનમાં પ્રવચન શરૂ થતાં પહેલાં, એક આગેવાન ભાઈ મારી ઓળખ આપવા ઊભા થયા. મને મનમાં થયું : પહેલાં તું તારી ઓળખ તો આપ. જેની ઓળખ આપવાની છે તેની કોઈ આપતું નથી; બારદાનની જ વાતો કરે છે, માલને તો કોઈ પૂછતું જ નથી ? કોઈ આપણા માટે બોલે તો વિચારવું કે ઠીક છે, એ મારા વિશેનો બાંધેલો એમનો અભિપ્રાય છે; મારી ઓળખાણ નથી. અભિપ્રાય બધા Jain Education International ૩૮૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy