SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં જવાનો છે, કેવી રીતે કર્મથી ભારે થાય છે, કેમ મુક્ત થાય અને અમૃતતત્ત્વનો ભોક્તા બને તે જાણવાનું છે. યાજ્ઞવલ્ક્ય આત્મસાધના કરવા અરણ્યમાં જતાં પહેલાં પોતાની બધી સંપત્તિ વહેંચે છે. આ જોઈ પત્ની મૈત્રેયીએ તેમને પૂછ્યું : “આપ મને પણ શું આ સંપત્તિ જ આપવા માંગો છો ? અને જો એ આપવા જેવી વસ્તુ હોય તો આપ એને તજવા કેમ તત્પર બન્યા છો ? આનાથી મને અમૃતનું તત્ત્વ મળવાનું ખરું ? જેનાથી અમૃત ન મળે તે લઈને હું શું કરું ? જે લીધા પછી છોડવું પડે તે લીધું પણ શા કામનું ? મને તો તમે જે સાધનાથી આત્મતત્ત્વ પામવાના છો એ બતાવો.'' આ આત્મજ્ઞાન પામવા શાન્તિની પળોમાં ચિન્તન કરવાનું છે. શાન્ત વાતાવરણમાં જ તળિયે રહેલી વસ્તુ દેખાય છે, ધાંધલમાં કંઈ ન દેખાય. તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે પણ તમારી આગળ-પાછળ ખેંચતાણ હોય છે. તમારા મન પર કેટલું બધું દબાણ છે ? સુખીમાં સુખી માણસ પણ આ દબાણથી મુક્ત નથી. આવો માણસ શાંતિની લહેજત કેમ માણી શકે ? વધારે સાધન એટલે વધારે દોડ ! રે, ખાવામાંય શાન્તિ ન હોય તો સ્વાધ્યાય માટે તો હોય જ ક્યાંથી ? તમે સુખી છો ? સુખ શું છે ? સુખ એટલે શાન્તિ. તમને શાન્તિ છે ? જ્યાં સુધી શાન્તિ ન સંભવે ત્યાં સુધી વસ્તુનું દર્શન કેમ થાય ? સ્નાન કરતાં પાણીના હોજમાં તળિયે જઈ પડેલી હીરાની વીંટી પાણીમાં તરંગો હોય તો ન દેખાય. પાણી નિર્મળ થાય અને તરંગ શાન્ત થાય તો જ દેખાય. તેમ હૃદયની વસ્તુ પણ ક્યારે દેખાય ? ચિત્ત શુદ્ધ થાય અને શાન્ત થાય ત્યારે. અજ્ઞાનીનું કામ તરંગો વધારવાનું છે, જ્ઞાનીનું કામ તરંગો શાન્ત કરવાનું છે. જેટલા તરંગો ઓછા તેટલી શાન્તિ વધારે. જેટલી વસ્તુ વધારે તેટલા તરંગો વધારે. ઘણી વાર તો આખો માણસ જ એમાં દટાઈ જાય છે. વસ્તુઓ માણસને ઉપર લાવવા માટે હોય, નહિ કે એને ઢાંકી દેવા. જેમ પેલા અજ્ઞાની ભક્તો ભગવાનની પૂજા કરવાને બદલે ભગવાનને જ ફૂલોથી ઢાંકી દે છે, તેમ માણસ વસ્તુઓથી ઉપર આવવાને બદલે પોતે જ વસ્તુઓથી ઢંકાઈ જાય છે. આ બધાં Means છે, End નથી. સાધન છે, સાધ્ય નથી. સાધન અને સાધ્યનો ભેદ સમજાતાં તમે જ તમને પૂછશો : હું મારો શેઠ છું કે નોકર છું ? Jain Education International રત્નત્રયી * ૩૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy