SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાયું. ટાવરમાં ટકોરા પડે છે. યુવાનો પેલા નાવિકને પૂછે છે: “વાંચતાં તો ન આવડે પણ બરાબર ગણતાં તો આવડે છે ને ? ગણ જોઈએ, કેટલા ટકોરા થયા ?” “ભાઈઓ, મને ગણતાંય બરાબર નથી આવડતું.” ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા અને કહે : “તારી પોણી જિંદગી પાણીમાં ગઈ.” થોડી વાર પછી ઉપરવાસથી પૂર આવતું દેખાયું. નાવિકે જાહેર કર્યું ? “પૂરનું ખૂબ જોર છે ! પૂર આવી પહોંચતાં નૌકા કદાચ ગુલાંટ પણ ખાઈ જાય. તમને તરતાં આવડે છે ?” કોઈને તરતાં આવડતું નહોતું. એટલામાં પૂર આવ્યું. નાવ ડૂબવા લાગી. નાવિકથી ન રહેવાયું. એણે કહ્યું : “મારી પોણી જિંદગી પાણીમાં ગઈ, પણ પા બચી જશે; જ્યારે તમારી તો હવે આખી જિંદગી પાણીમાં જવાની. અહીં તરવાના જ્ઞાન સિવાય બીજું બધું જ્ઞાન નકામું આ વાત સૌને લાગુ પડે છે. તમને બીજું બધું જ્ઞાન છે, બધી રીતે હોશિયાર છો, આ બધું ખરું, પણ સંસારસાગરમાં કેમ તરી જવું તે આવડે છે ? જ્ઞાનીઓ કહે : ભવસાગરને કેમ તરી જવો તે જાણે તે જ્ઞાની. જ્ઞાનની બે શાખા છે : વિષયપ્રતિભાસ અને આત્મસ્પર્શી. જ્ઞાન ભાડે મળે. સ્કૂલ અને કૉલેજમાં પણ મળે. આત્મસ્પર્શી જ્ઞાન ભાડે નથી મળતું; એને માટે અંદર ડૂબકી મારવી પડે છે, પોતે પોતાને પ્રશ્ન કરી, પોતાને જાણવો પડે છે. આવા જ્ઞાનવાળો દુનિયામાં વસતાં જેમ હસે છે તેમ દુનિયાને છોડતો જાય છે ત્યારે પણ હસતો હસતો છોડી શકે છે. ભગવાન મહાવીરે દેહ છોડતાં પહેલાં સોળ પ્રહરની છેલ્લી દેશના આપેલી. તેમને થયું કે મારી પાસે જે છે તે સૌને આપતો જાઉં. જ્ઞાનના ખજાના જેવું ઉત્તરાધ્યયનસૂત્ર માનવજાતને આપ્યું. આ સુધાની વૃષ્ટિપ્રસંગે પણ તેમના મુખકમળ પર કેવો આહલાદ હતો ! એમને એમ જ થતું હશે ને કે જતાં જતાં જગતનાં હૃદયના પ્યાલા જ્ઞાનથી છલકાવી જાઉં ! જેને મરતાં આવડે તે જીવ્યો કહેવાય. એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છેઃ અકસ્માતને બાદ કરતાં મને કહો કે કોણ કેમ મરી ગયો, તો હું કહીશ કે એ કેમ જીવી ગયો, મરણ એ જીવનનું સરવૈયું છે. અકસ્માતમાં પૂર્વજન્મનું કર્મ ચાલ્યું પણ આવતું હોય એટલે એમાં માણસનું કંઈ ન ચાલે. પણ તે સિવાય સામાન્ય રીતે તો જીવન જેવું જિવાય તેવું જ મૃત્યુ થાય. જીવનનો વળ મૃત્યુના છેડામાં છે. | વિવેકી માણસ જીવનનો છેડો સુંદર કેમ થાય તેનો જ વિચાર કરે છે. એટલા માટે આ સમ્યનું દર્શન પછી સમ્યફ જ્ઞાનની જરૂર છે. આત્મા શું છે, ૩૮૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy