SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયીની ત્રિપુટી જીવનમાં આવી જાય, ઓળખ થાય તો સંસાર જુદો જ બને. પછી તમે સાથે રહો પણ ઊર્ધ્વગતિએ પહોંચવા સદા તત્પર રહો. આત્માની ઓળખાણ પછી નવમે ભવે રાજુલ અને નેમ મોક્ષ પામ્યાં. નેમે જ્યારે રાજુલને પરણવાની ના કહી ત્યારે રાજુલ તેની બહેનપણીને કહે છે, “એ ભલે હાથ પર હાથ ન મૂકે, પણ માથા પર તો હાથ મૂકશે ને ?'' આ આત્માની ઓળખાણ છે. આત્મા છે એ જાતની સમજણ થાય ત્યારે દર્શનનો પ્રારંભ થાય. એ માર્ગે સાધના કરતાં કરતાં આત્માકર્મમાથી મુક્ત થાય. આત્મા કષાય અને વિષયથી મુક્ત થયો. એટલે દર્શનનું કામ પૂર્ણ થયું. આત્મા માટે તલસાટ, ભૂખ તે સમ્યગ્દર્શન. હું ચેતન છું એ દર્શન. જ્યાં સુધી દર્શન નથી, ત્યાં સુધી હું શરીર છું; દર્શન થાય એટલે હું આત્મા છું. લાગે છે. આત્મજ્ઞાનીને શરીરને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત નથી લાગતા. આત્મા સ્વામી છે, દેહ દાસ છે. આત્માએ શરીર ધારણ કર્યું છે. શરીર ધારણ કરનાર સ્વામી ધારે ત્યારે દેહને ફગાવી શકવાની સ્વતંત્રતા ધરાવે છે. જેમ કોઈ માલિક કહે છે આ નોકર છે; તેમ આત્મા કહે કે આ મારું શરીર છે. ‘મારા’નો અર્થ મારાથી ભિન્ન એમ થાય છે. એકતા હોય તો તે સંબંધની છે. સંબંધ તૂટતાં આત્મા જુદો અને દેહ જુદો. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાય એવા સુકુમાર શરીરવાળા માણસો છે, જેમનાથી જરીયે તાપ સહન ન થાય, પણ સંબંધ પૂરો થતાં આત્મા આગળ વધે છે, પછી પાછળ રહેલા શરીરને બાળવામાં આવે છે; અને છતાં એ ફરિયાદ કરે કે મારાથી તાપ સહન નહિ થાય ! આ વાત વિવેકદૃષ્ટિથી વિચારવાની છે મૃત્યુ પછી નહિ પણ જીવતાં સમજવાની છે; દ્રષ્ટા બની આ વસ્તુને જોવાની છે. દ્રષ્ટાની દૃષ્ટિ મળતાં તમે આજે જેને સ્વ માનો છો તે ૫૨ લાગશે. વસ્તુમાંથી સ્વત્વ નીકળી જતાં નિર્મમત્વની શાન્તિ મળશે. પછી શ૨ી૨ પર દુઃખ થતું દેખાશે, પણ દુઃખનો સ્પર્શ નહિ થાય. દ્રષ્ટા બની જોનારને દુઃખ પડે ખરું, પણ સ્પર્શે નહિ. આ પ્રયોગ બહુ વા૨ ક૨વો પડશે. પ્રારંભમાં કઠિન લાગશે પણ ધીરે ધીરે દૃષ્ટિ ખીલતાં ભિન્નતાનું જ્ઞાન વધતું જશે. પ્રયોગ વગર આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા અને ઉપવાસ કરી પ્રસન્નતા માણતા Jain Education International ૩૭૮ * માનતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy