SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ, ધ્યાન, તપ જે કરો છો તે આત્માની નિર્મળતા માટે છે, કારણ કે એમ કરતાં કરતાં શુદ્ધિનો અનુભવ થાય છે. આત્મા છે એવી પ્રતીતિ થઈ એ દર્શનની શરૂઆતનું લક્ષણ છે. મોક્ષ મળ્યો એટલે દર્શનની પૂર્ણાહુતિ. આત્માની ઓળખ એટલે દર્શનનો પ્રારંભ; અને કર્મોથી આત્માની મુક્તિ એ દર્શનની પૂર્ણાહુતિ. તમે માત્ર આ દેહને જ ઓળખો છો – આત્માને ભૂલીને. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કંઈ નથી. જે પોતાને જ ન ઓળખે, હું આત્મા છું, જ્યોતિર્મય છું, ત્રણ કાળમાં મરવાનો નથી ન જાણે તે બીજાને ચૈતન્યરૂપે કેવી રીતે ઓળખે ? જે પોતાને જ જડરૂપે જુએ, અને માને કે પોતે પંચભૂતનું પૂતળું છે તે પોતાનાં સગાંઓને પણ પંચભૂતનાં પૂતળાં જ સમજે ને ? જે પોતાને આત્મારૂપે ઓળખે છે તે જ અધ્યાત્મની ઓળખ દ્વારા જગતમાં ચૈતન્યનો ધબકાર જુએ છે. એને એમ થાય કે બધામાં મારા જેવો આત્મા પડ્યો છે. જેનામાં આત્મજ્ઞાન નથી તેના દુ:ખનો પાર નથી. આવા માણસો માત્ર શરીરને ઓળખે છે અને શરીરમાં થોડું ખરાબ થાય તો તેને દુઃખ થાય ભારતીય સંસ્કૃતિ કહે છે કે સ્ત્રી-પુરુષ લગ્નમાં પણ એ વાત ભૂલવાની નથી કે માત્ર સંસારના તુચ્છ ભોગ માટે આ જોડાણ નથી, પણ ધીમે ધીમે મોક્ષમાર્ગના સાથી થવા જોડાયા છીએ. આ ભારતીય સંસ્કૃતિમાં પતિ માંદો થાય કે અપંગ થયા તો નિભાવવાની ભાવના છે. પત્ની બીમાર થાય કે લાંબી માંદગીમાં આવી જાય તોય પતિ એની કાળજી કરૂણાપૂર્વક લેતો જ રહે છે. જ્યાં ધર્મ નથી ત્યાં પતિ લાંબો સમય માંદો રહે તો છૂટાછેડા લેવાય છે, કારણ કે પંચભૂતનાં પૂતળાં સુખ ન મળતાં છૂટાં જ પડે ને ! આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસક્તિવાળો અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. અત્યારે લોકો તુચ્છ સ્વાર્થ માટે ભેગાં થયાં છે. ઊણપ આવી તો તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે. બંનેના રસ્તા જુદા. પણ આત્માની ઓળખથી તો બંને એકબીજાને માટે સહન કરે છે. અંજના સતીને પતિનો વિયોગ ૨૨ વર્ષ રહ્યો. પવનંજય સામે જુએ કે નહિ પણ બાઈ કહે કે, આ તો શરીરની વાત છે; ચાલો સંયમ પળાશે; તે છતાં એના આત્માને હું તારીશ. ૨૨ વર્ષે જ્યારે પવનંજયની આંખ ઊઘડે છે ત્યારે પશ્ચાત્તાપ થાય છે. રડે છે. કહે છે કે, “હું દુષ્ટ હતો.” પત્ની કહે છે કે, “તમે દુષ્ટ હતા જ નહિ. જો દુષ્ટ હતા તો આંસ ક્યાંથી ? હવે તો દુષ્ટતા પણ ધોવાઈ ગઈ.” જાણે કે ૨૨ વર્ષમાં કાંઈ બન્યું જ નથી. આવી વાત આત્માની ઓળખાણથી થાય. રત્નત્રયી × ૩૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy