SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ને વા વિશે અને હું એક વાર કોઈ સમજુ માણસ સુખ અને દુઃખમાં સમાન રહે. પૈસાથી અહંકારી ન બને, નિર્ધનતામાં દીન અને કંગાળ ન બને. સાધનોની વિપુલતામાં એટલી જ નમ્રતા અને સાદાઈ રહે તે આ દૃષ્ટિનો જ પ્રભાવ છે. ચરોતરમાં વિહાર કરતાં એક ધનાઢ્ય ભાઈ મળ્યા. તેમના કપાળમાં મોટો ઘા હતો. ગરીબાઈમાંથી શ્રીમંત થયા હતા. સાદાઈથી રહે અને પૈસા દાન વગેરેમાં વાપરે. એમના કપાળના ઘા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઘા મારો ગુરુ છે, તેણે ગુરુનું કામ કર્યું છે. નાનપણમાં હું એક ધનવાનના મકાનની બાજુમાં રહેતો હતો. ધનવાનના દીકરા રમવા આવે ત્યારે કોઈ વાર ખિસ્સામાંથી ચોકલેટ વગેરે કાઢીને ખાય અને કોઈ વાર મને આપે. એક વાર તેમની માએ આપવાની ના કહેવાથી મને ન આપી. હું ઘેર જઈ રડવા લાગ્યો. માએ ઘણું સમજાવ્યો પણ મેં હઠ પકડી. માએ ધનવાનને હાથ જોડીને કહ્યું કે તમે તમારાં છોકરાંઓને ઘરમાં ગમે તે ખવડાવો પણ બહાર જઈને અમારાં છોકરાંના દેખતાં ખાય ને એ જોઈને અમારાં છોકરાં અમારી પાસે માગે ને અમને હેરાન કરે એ ઠીક નહિ. આ સાંભળી શેઠાણી તો ગરમ થઈ ગઈ. કહે : “મારાં છોકરાં બજારમાં અને શેરીમાં બધે ફાવે તે ખાશે. તું મને કહેનાર કોણ ?” એમ કહી મારી માને બહાર કાઢી, હું સમજ્યો કે મા અંદર ચોકલેટ લેવા ગયેલી છે. મા નીકળી એટલે મેં ચોકલેટ માંગી. માને દુઃખ થયેલું, અપમાન થયેલું એટલે મારી આ માગણીથી ગુસ્સે થઈ, ને બાજુમાં પથ્થર પડેલો તે ઉપાડી મારા પર ઘા કર્યો. મને લાગ્યું, લોહીની ધારા નીકળી, માને ઘણું દુઃખ થયું ને હું ફરીથી માગવાનું ભૂલી ગયો. મોટો થયો, પૈસાદાર થયો, પણ ઘા રહી ગયો. રોજ અરીસામાં મો જોતાં ઘા યાદ આવે છે. એની પાછળ રહેલી જિંદગીની વાત યાદ આવે છે. એ ઘા જાણે કહેતો હોય છે : બીજાનાં સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ બીજા કોઈના કપાળમાં ઘા ન કરે તે ધ્યાન રાખજે. મેં મારા ઘામાંથી આ પાઠ લીધો, મેં એને મારો ગુરુ માન્યો.” દરેક માણસે એ વિચારવાનું છે કે આપણું આધ્યાત્મિક સુખ બાળકને પણ કેમ મળે. એવું જ્ઞાન એને કેમ પ્રાપ્ત થાય જેથી કોઈકના કપાળમાં એ ઘા કરી ન બેસે, સમાજને નુકસાન ન કરી બેસે. આ જવાબદારીની વાત છે. એ માટે પહેલાં આપણને એવું દર્શન થવું જોઈએ, એવી લગની લાગવી જોઈએ કે જેથી આત્મા શુદ્ધ બને. આ આત્મા સર્વમાં છે, ગયા જન્મમાં હતો, આ જન્મમાં છે અને હજુ પ્રવાસ ચાલુ જ છે, એવું જ્ઞાન થાય. ૩૭૬ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy