SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરમાં ભગવાન કાંઈ એમ જ નથી દેખાતા. અંદર ભૂખ લાગવી જોઈએ; તો જ ભગવાન અંદર પણ દેખાય. જેટલી ભૂખ તીવ્ર એટલી રસોઈ મીઠી, જેટલી ભૂખ ઓછી તેટલી રસોઈ ફિક્કી. હું આત્મા : અનંત શક્તિનો સ્વામી : આ દેહમાં સમાઈને નાનકડી દુનિયામાં કેમ ભરાઈ બેઠો છું ? હું, કે જે આ જન્મની પહેલાં પણ હતો, અને આ મરણની પછી પણ રહેવાનો છું તે મરવાની ભીતિમાં કેમ ગભરાઈ બેઠો છું ! મૃત્યુ કોનું ? દેહનું કે આત્માનું ? દેહ મરે, આત્મા તરે; દેહ પડે, આત્મા ચઢે. એવા શાશ્વત આત્માની શ્રદ્ધા એ જ સમ્યગૂ દર્શન...આ સમ્યગુ દર્શનથી તો જીવન અભયનો અનુભવ કરે. ચાણક્ય નાનો હતો. એને ઘેર સાધુ માધુકરી માટે આવ્યા. બાળકના દાંત જોઈને સાધુના મોં પર સુંદર સ્મિત આવ્યું. માએ કારણ પૂછ્યું. સાધુએ બાળકના દાંત જોઈને કહ્યું કે, આ બાળક સમર્થમાં સમર્થ સમ્રાટ થવાનો હોય એવાં ચિહનો છે. મા ધર્મિષ્ઠ હતી. થયું કે, સમ્રાટ થવું એ એક ભવની વાત છે પણ સમ્રાટ થતાં સંહાર કરી દુર્ગતિએ જવું એ ભવોભવની વાત છે. એના કરતાં સમ્રાટ ન થાય તો શું ખોટું ? માએ કાનસ લઈ દાંત ઘસી કાઢચા. બાળકને ખુબ દુ:ખ થયું. મા બાળક માટે આ ભવનું નહિ પણ ભવોભવનું હિત ઇચ્છે છે. બાળકના આત્માના હિત માટે માએ હૃદય કઠોર કર્યું. ચાણક્ય સમ્રાટ ન થયો પણ પછી સમ્રાટનો સર્જક જરૂર થયો. આપણે બાળકનું શ્રેય ઇચ્છતા હોઈએ તો જીવનમાંથી ચૂંટી ઘૂંટીને સારી વાતો કહીએ. બાળકનું મન કોમળ, સુકુમાર, નિર્દોષ હોય છે. સારી વાતો મૂકતાં બાળકના મનમાં સ્વપ્નો ઊભાં થાય છે. દરેક બાળક આગળ કાંઈ ને કાંઈ આદર્શ મૂકીએ. એ આદર્શ એના મનમાં વિચાર સર્જે. બાળકો આગળ સારી વાત ન મૂકીએ, સુંદર આદર્શ ન મૂકીએ એટલે નિર્દોષ બાળક સિનેમામાંથી નકલ કરે છે, ખરાબ શીખે છે. આ સ્વજનો ગયા જન્મમાં હતાં, આ જન્મમાં છે, આવતા જન્મમાં રહેવાનાં છે. આ જન્મમાં આવેલ નેહીનું સારું કરીએ તો આવતા જન્મ પણ તેઓ ઊંચા આવે. - બાળકોના મનમાં સુંદર વિચારોનાં બીજ વાવવાથી તેમની મનોભૂમિ પર તે વૃક્ષ બનીને ઉપર આવે છે. માતાપિતાનું શુદ્ધ જીવન પ્રેરણા આપે છે. કદાચ તમારું કહ્યું નહિ માને. પણ અનુકરણ જરૂર કરવાના. આદર્શ જીવન જીવો એટલે તમારામાંથી અનુકરણ કરશે જ. પહેલા સુંદર મન, પછી જ ધન, આજે મન ઓછું, પણ ધન વધારે છે. રત્નત્રયી ક ૩૭૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy