SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ એક વસ્તુની સાચી પ્રીતિ લાગે તો બીજી વસ્તુ સહજ છૂટી જાય. કોઈ વેપારીને ઉપવાસ કરવાનું કહો તો કહે કે મારાથી ન બને. પણ જ્યારે ઘરાકી જામી હોય ને ખાવાનો સમય ના મળે તો ઉપવાસ પણ થઈ જાય. જે લોકો એકટાણું પણ ના કરે તેને ઉપવાસ કરતા જોયા છે ને ? વસ્તુ ગમી જાય પછી સહનશીલતાનો પ્રશ્ન જ નથી. ભૂખના બદલામાં એને એવું કાંઈક મળે છે, જ્યાં ભૂખ નથી રહેતી. જે ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે, તેને અંદરનો આસ્વાદ મળે છે; હજારો અન્નના દાણાને વનસ્પતિના જીવોને અભય આપ્યાની પ્રસન્નતા છે. એને તપશ્ચર્યા સહજ લાગે છે. સ્વાધ્યાય તેમજ ચિંતનમાં ઉપવાસ કરનારને એ યાદ જ નથી આવતું કે આજે મેં ખાધું નથી. વસ્તુ પ્રત્યે લગન વિના જે કરશો તે ભારરૂપ જ લાગશે. લગન એટલે વસ્તુમાં વસ્તુનો રસ. જે વસ્તુ પ્રિય લાગે તેને માટે ગમે તેટલું કરો પણ તે સહજ થવાનું. મા જ્યારે વહાલથી દીકરીને કાંઈ આપે છે ત્યારે એ કહેતી નથી કે મેં ત્યાગ કર્યો છે. આત્મા માટે કરો પછી અહંકારનો પ્રશ્ન જ ક્યાં રહ્યો ? રાણકપુર કુદરતના ખોળામાં આવેલું રમણીય ધામ છે. અરવલ્લીના પહાડોના ખોળામાં મંદિર બેઠું છે. ધરણાશાને એવી તો કેવી લગન લાગી હશે કે જેણે જંગલમાં જઈને એ મંદિર ઊભું કર્યું ! આજે તો લોકોને દરેક ઠેકાણે પોતાની તખ્તી જોઈએ; જ્યારે આ મંદિરનો બાંધનાર શોધ્યો જડતો નથી. ધરણાશા કોણ એ ખબર નથી પડતી. મંદિરમાં ૧૪૪૪ થાંભલા છે. તેમાં એક થાંભલા પર બે નાની આકૃતિઓ હાથ જોડીને ઊભી છે. જાણે કહી રહી છે: ‘અમે કાંઈ કરી શક્યા નથી.' જેના જીર્ણોદ્વારમાં જ ૧૩ લાખ રૂપિયા લાગ્યા તો તેના બાંધકામમાં કેટલો ખર્ચ લાગ્યો હશે તેની કલ્પના કરો ! છતાં, ક્યાંય બંધાવનારનું નામ દેખાતું નથી. હાથ જોડેલાં પતિપત્નીમાંથી નમ્રતા નીતરે છે. ભગવાનની લગન લાગી હોય તે એમ જ કહે ને કે જે જોયું છે તેની આગળ અમે જે કર્યું છે તે શી વિસાતમાં છે ? દર્શન એટલે રુચિ. તેની પ્રાપ્તિ વિના બેચેની લાગે. ભગવાનના ભક્તો પાગલ લાગે કારણ કે એ પોતાનામાં ખોવાઈ ગયા છે, સતની પાછળ પાગલ થયા છે, વાતો કરતાં પણ એને ભગવાનનું સ્મરણ આવે છે. જ્ઞાન અને ચારિત્ર દર્શન વગર નબળાં છે. પહેલાં દર્શન થવું જોઈએ, ભગવાનને જોઈને મનમાં અહોભાગ્ય લાગવું જોઈએ. થાય કે આ ભગવાન મારા આત્માનું પૂર્ણરૂપ છે. કષાયોને લીધે તેમનો અધૂરો અંશ હું છું. તો હું પૂર્ણના ધ્યાનથી પૂર્ણ બનું એવી લગન, એવી રુચિ મને સહજ પ્રગટે. Jain Education International ૩૭૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy