SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મનું ક્ષેત્ર ગગન કરતાં વિશાળ છે. અંત ન આવે એટલો વિશાળ એનો રાજમાર્ગ છે. આત્માનો માર્ગ અનંત છે, તો સાધનો પણ અસંખ્ય છે. આપણે ચૂંટેલા આ ત્રણ સાધનોનો વિચાર કરીએ. જે સાધનો દ્વારા શુદ્ધિ થાય અને શુદ્ધિ એટલે જ સિદ્ધિ. સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ સાધન છે. મોક્ષ એ આપણું સાધ્ય છે. સમ્યગ્દર્શન શી ચીજ છે ? એ એક પ્રકારની રુચિ છે, પ્યાસ છે. સુધા છે. કોઈ વસ્તુ જોઈએ અને ગમી જાય, મનમાં ચોંટી જાય, જોયા પછી વસ્તુની લગન લાગી જાય; થાય કે આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરું, કેવા પ્રયત્નથી મેળવું. આ દિલની લગનને ‘“સમ્યગ્ દર્શન' કહે છે. આત્માની લગન લાગે, આત્મા માટે રુચિ જાગે; થાય કે આ બધું ખરું પણ અંદર રહેલાને પામું નહિ. હું અને ખુદને જ જાણું નહિ, શોધું નહિ તો આ જન્મનો અર્થ શો ? અંદરની ઝાંખી કરો. પોતે તેના તરફ આકર્ષાઈ જાય તેનું નામ સમ્યગ્ દર્શન. બજારમાં થોડા પૈસા લઈને નીકળ્યા ને ત્યાં તમને કોઈ કીમતી વસ્તુ ગમી જાય, તમારા દિલમાં વસ્તુ ભાવી જાય; થાય કે ખરીદીને જ રહીશ. પણ તમારી પાસે પૂરા પૈસા નથી, તમે દુકાનદારને કહો છો : ‘મારે માટે આ રહેવા દે. ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ. મારી ખાતર તું આ વસ્તુ વેચીશ નહિ.' એક વસ્તુ ગમી જાય તેને માટે આ કેવી તાલાવેલી ! અધ્યાત્મ માટે આવી જ રુચિ પ્રગટવી જોઈએ. એની પાછળ દુનિયા, પૈસા, સંસાર કે જીવન બધું જ રંગાઈ જાય છે. ત્યાગ કરનારને જેણે ઘર વગેરે છોડ્યાં છે એને કોઈ એવી વસ્તુ ગમી ગઈ છે, જેની આગળ આ બધી વસ્તુ નાચીજ લાગે છે. જેને આત્માની પસંદગી થાય, દર્શનનો સ્પર્શ થાય એ ચારિત્ર પામે. તેને મન દુનિયાની વસ્તુનો ત્યાગ સહજ વાત છે. જે વસ્તુ ગમે છે તે વસ્તુ પાછળ કોઈ વસ્તુનો ત્યાગ કરવામાં મુશ્કેલી નથી. આત્માની ઝાંખી થાય તો ત્યાગ, ત્યાગ જ ન લાગે. ત્યારનો ભાર ન લાગે. ગિરિરાજે પોતાના ત્રણ વર્ષના ભાઈને ઉપાડી ચઢતી બાર વર્ષની બાળાને પૂછ્યું : “છોરી ! તને આનો ભાર નથી લાગતો ?'' એણે હસીને શું કહ્યું ? “એ તો મારો ભાઈ છે.'' Jain Education International રત્નત્રયી 393 For Private & Personal Use Only --- www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy