SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ સ્વભાવમાં આવીને ઊભી રહે. માટે જ સતત શ્રવણ, મનન, ધ્યાન, ચિંતન આ બધાં સાધનોની પ્રતિષ્ઠા. - સાધક તૈયાર હોય તો જ સાધનનો ઉપયોગ થાય, સાધક પ્રમાદી કે આળસુ હોય તો સાધન સામે પડ્યાં હોય તો પણ શું વળે ? જો માત્ર માળાથી જ મોક્ષ મળતો હોત તો માળા વેચનારા બધા જ મોક્ષે જાત. સાધન તો સામે જ પડ્યાં છે. ગણ્યા કરે છે, કરતો કાંઈ નથી. જેવી રીતે બાળકને સુંદર ટેવો પાડીએ છીએ અને ધીમે ધીમે મોટું કરીએ છીએ તેમ તમારા વિચારોને ટેવ પાડીને મોટા કરો. કોઈ એવો અણસમજુ માણસ નહિ મળે જે દીકરાને મોટો કરવા પત્નીને કહે તું બે હાથ પકડ અને હું બે પગ પકડું અને ખેંચીએ, જલદી મોટો કરી નાખીએ. “એમ એ મોટો નહિ થાય, મરી જશે.” સુંદર વિચારો એકદમ બહાર નથી આવતા એનો પણ વિકાસ - growth થાય છે. એને ઊગવા દો. તમારું કામ ખાતર આપવાનું છે, સારા વિચારનું શ્રવણ એ પોષણ - nourishment છે, એ તમારા વિચારોને ખોરાકરૂપે અને ખાતરરૂપે મળે છે. અહીં જે શ્રવણ કર્યું એ ખાલી જતું નથી, એ ખોરાકનું કામ કરી જ રહ્યું છે. આ જીવનને પુષ્ટ કરશે જ. જેને જીવનમાં આગળ વધવું છે, જીવનને સુંદર બનાવવું છે, પોતાના આંતરવૈભવને વધારવો છે એણે પહેલાં પોતાના વિચારોને પલટાવવાના છે. વિચારોમાં ત્રણ તત્ત્વો લાવવાનાં છે. સત્ય, શુભ અને સુંદર - truth, goodness અને beauty આ ત્રણે વિચારોનું સુરૂપ છે. આપણા વિચારોમાં સત્ય રમતું હોય તો જીવન સત્યમય બને. પણ વિચારો અસત્ય હોય અને ઉપરથી આવરણ સત્યનું કરવા જાવ તો દંભ બને. અંદરનું વ્યક્તિત્વ બહાર આવવા પ્રયત્ન કરે અને તમે ઉપરથી આચરણનું દબાણ કરો તો દંભની વિક્રિયા સિવાય શું થાય ? અબ્રાહમ લિંકનના જીવનનો એક પ્રસંગ છે. એણે વકીલાતની શરૂઆત કરી ત્યારે વારંભમાં ઘરાક ઓછા આવતા પણ એણે નક્કી કર્યું : મારા ધંધાને હું મારા વિચાર અને આચારથી સુંદર બનાવીશ. ધંધો ખરાબ નથી. જે માણસ ધંધાને અપનાવે છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા અને કીર્તિનો આધાર છે. દરેક ધંધામાં ખરાબ તત્ત્વ મળી આવવાનું અને ઊર્ધ્વગામી તત્ત્વ મળી આવવાનું. પછી એ વકીલ હોય, ડૉક્ટર, એન્જિનિયર હોય કે વ્યાપારી હોય કે સાધુ હોય. ધંધો નહિ પણ ધંધો માનવતાનાં મૂલ્ય ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy