SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવેલી. એ દીવાસળીની પેટી લાવ્યા. મને વિશ્વાસ હતો કે એ બીડી નથી જ પીતા. તેમ છતાં તેમણે આ દીવાસળીની પેટી કેમ કાઢી ? એમણે દીવાસળી સળગાવી, એનાથી કાગળનો ટુકડો સળગાવ્યો. મને કહ્યું “જોયું ? આ કાગળને સળગાવતાં પહેલાં દીવાસળીને પોતાને સળગી જવું પડ્યું. બીજાને બાળતાં પહેલાં પોતાનું મોઢું એને બાળી નાખવું પડયું. જે દીવાસળી પોતાના મોઢાને કાળું નહિ કરે એ કોઈનેય બાળી શકે નહિ. આટલું તું ધ્યાન રાખજે, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. જે કરવું હોય તે વિચારીને કરજે.” એમણે તો ગજબની વાત કરી નાખી, જીવનનો આખો પાઠ આપી દીધો, જે વાતને સમજાવવા કેટલાં શાસ્ત્રો લખાયાં એ વાત match boxની નાનકડી દીવાસળીમાં કહી નાખી. હું તો વિચારતો જ રહ્યો આ વાતે તો મારા વિચારોની દુનિયા બદલી. વાત સાવ સાચી છે. દુનિયાને ખરાબ કરવા પહેલાં પોતાના મોઢાને ખરાબ કરવું પડે છે, દુનિયાને જલાવતાં પહેલાં પોતાને જલી જવું પડે છે. કોઈને કાળો ચીતરતાં વિચાર અને વાણીને કાળી કરવી પડે છે. લગા સકો તો બાગ લગાઓ, આગ લગાના મત સીખો જલા સકો તો દીપ જલાઓ દિલ કો જલાના મત સીખો // જે હિંસા કરે છે એ પોતાના પ્રેમ અને મૈત્રીની આત્મહિંસા કર્યા વિના બીજાની હિંસા નથી કરી શકો. ભગવાને કહ્યું : “તું બીજાની નહિ પણ ખુદ તારી જ હિંસા કરે છે. તું બીજાને નહિ પણ ખુદ તને જ નુકસાન કરે છે.' આ દુનિયામાં સુખ લાવવું હોય તો એકલી વાતોથી નહિ બને. અંદરથી પલટો લાવવો પડશે. ધર્મની ભાષામાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવાં પડશે. કર્મબંધનનો પ્રારંભ વિચારથી થાય છે અને કર્મબંધનને લીધે જ આત્મા દુર્ગતિમાં જાય છે. ધર્મની આ કઠિન ભાષા દીવાસળીની ભાષામાં સરળ દેખાય છે પણ સત્ય એક જ છે. વિચારોમાં પલટો લાવ્યા વિના બહાર કદી પલટો લાવી શકાતો નથી. વિચારોમાં પલટો કેમ આવે ? પ્રયત્ન કરો તો જરૂર આવે. કઠિન છે પણ અશક્ય નથી, ટેવ ઘણા વખતની છે, વિચારો અને સંસ્કારો ઊંડા ઊતરી ગયા છે. એક વિદ્વાને સાચું જ કહ્યું કે માણસની ટેવ elastic છે; વજન roller નીચે દબાવો, સીધી કરવા પ્રયત્ન કરો પણ roller કાઢી લો એટલે એ ટેવ Jain Education International ૨૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy