SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિનો નાશ કરાવી રહ્યા છે માટે ચેતો ! સાવધાન બનો ! જાગરૂક બનો ! અને એ ધૂર્તોનો સામનો કરો.” “નાથ ! આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા આપ શક્તિમાન છો. આપ આ ધૂર્તોનો સામનો કરી શકો છો. પણ અમે નિર્બળ છીએ, ધૂર્તો સબળ છે; અમારાથી એમનો સામનો કેમ થઈ શકે ? અમારા માટે આ કાર્ય કઠિન છે, કપરું છે, અઘરું છે. આપ તો સમર્થ છો. આપની સરખામણી અમારાથી કેમ થાય ?” લોકોની દીનતાભરી વાણી સાંભળી, એ વિભૂતિએ વીરઘોષણા કરી “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારો. શત્રુઓ પાસે આવી નિર્બળ વાતો કરશો તો એ તમારો નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું - કે તમારો આત્મા બળવાન છે, વીર્યવાન છે, અનંત શક્તિઓનો ભંડાર છે. તમારો અને મારો આત્મા શક્તિની દૃષ્ટિએ સમાન છે. માત્ર ફરક એટલો જ છે કે તમારા પ૨ કર્મનો કચરો છે, અને મારા આત્મા પરથી એ કચરો દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ કર્મના કચરાને દૂર કરો અને પૂર્ણ પ્રકાશી બનો. કાયરતા છોડી મર્દ બનો. ખડકની પેઠે અડગ રહો. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પોકારો. હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની વ્યૂહરચના બતાવું.” આ મંજુલ વાણી સાંભળી લોકો પ્રસન્ન બન્યા. જીવનવિકાસની નૂતન દૃષ્ટિ જાણવા માટે બધા ઉત્સુક બન્યા. - કદી ન ભુલાય તેવો મનોહર સ્વર ત્યાં ગુંજી રહ્યો “હે દેવોને પણ પ્રિય જનો ! આ જીવન કેવું ક્ષણભંગુર છે તેનો જરા વિચાર કરો. યૌવન પુષ્પની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે. વૈભવો સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંયોગો મંદિરની ધ્વજાની પેઠે અચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી-અચલ-શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માંધતાને છોડવી જ પડશે. ધર્માંધતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તો શું પણ અશક્ય છે ! ધર્માન્ધતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખ્યો છે, માનવોને અંધ બનાવ્યા છે. આ અંધતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માંધતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી માનવીનો શત્રુ થયો છે. આ જ અંધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા પણ અહિંસાને નામે પ્રગટી છે. પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અધર્મ પણ ધર્મને બહાને પ્રગટ થયો છે, માટે સત્ય ધર્મ મેળવવાનો અમોઘ ઉપાય બતાવું છું તે પ્રમાદ ત્યજી સાંભળો ! Jain Education International ભારતની એક વિરલ વિભૂતિ ૩૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy