SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા મહામાનવના ગુણો સમજી શકતા નથી અને ઈર્ષા અને અભિમાનથી પોતાની જાતને મહાન મનાવવાનો પ્રયત્ન કરતાં પરિભ્રમણ કરે છે. આપ જગતના પિતા છો, આપ જગચ્છરણ છો, વિશ્વબંધુ છો, જગદાધાર છો, અધમોદ્ધારક છો, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરો. હું નીચ છું – અધમ છું – પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે, નાથ ! માટે મને તારો ! ! !” આવા અઘોર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વવિખ્યાત આ વિરલ વિભૂતિએ તો પોતાની અમૃત-ઝરતી આંખોમાંથી કરૂણાની વર્ષા જ આરંભી ! એમની વૈરાગ્ય-ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પોતાના સ્થાન ભણી સંચર્યો ! સંગમે કરેલાં અનેક દુઃખો વેક્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્યવજભૂમિ ભણી વિહાર આદર્યો. સાડા બાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં એમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં, છતાં એમણે વૈર્ય, સહિષ્ણુતા અને શાન્તિપૂર્વક એમને પ્રસન્નમુખે આવકાર આપ્યો. આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિનાં કર્મો બળીને રાખ થયાં અને એમનો અનંત સૂર્યના પ્રકાશથી ચમકતો આત્મા પ્રકાશી ઊઠ્યો. કૈવલ્યજ્ઞાન વ્યાપી રહ્યું અને અંધકારનો નિતાત્ત નાશ થયો. પૂર્ણ આત્માના પ્રકાશથી દિશાઓ વિલસી રહી. આ રળિયામણા સમયે એમના મુખકમળ પર અખંડ અને નિર્દોષ આનંદ, વિશ્વ વાત્સલ્ય અને પ્રશાન્ત ગાંભીર્યનો ત્રિવેણી સંગમ જામ્યો ! સાડા બાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રોમાંચો દ્વારા ફુવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અંતે એમનો મેઘ-ગંભીર મંજુલ ધ્વનિ સાંભળીને શું દેવો કે શું દાનવો, શું માનવો કે શું અજ્ઞ પ્રાણીઓ; બધાં એમની નિકટમાં આવવા લાગ્યાં. એમનો ઉપદેશ સાંભળવા એ બધાં અધીર બન્યાં. આ વિરલ વિભૂતિએ મેઘ-ધારાની પેઠે ઉપદેશ પ્રારંભ્યો – મહાનુભાવો ! જાગો ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પોઢ્યા છો ? તમારું આત્મિક ધન લૂંટાઈ રહ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મહાન ધૂર્ત છે. એ તમને મોહિની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે તમારી અમૂલ્ય ૩૬૨ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy