SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-વિકાસનો અમૂલ્ય ઉપાય અનેકાંતવાદ છે. અનેકાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવો. એના વડે વિશ્વાત્મક્સ કેળવો. એક એકનો સમન્વય સાધો, અનેકાન્ત એ પૂર્ણ દૃષ્ટિ છે. એના વડે વિશ્વમાં રહેલાં સત્ય તત્ત્વોનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાચો ન્યાયાધીશ છે ! એ જ વિશ્વને નિષ્પક્ષપાત સાચો અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાંખશે અને સત્યનાં દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહો કે સાપેક્ષવાદ કહો, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દૃષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીનો વિકાસ થંભેલો જ છે, એવો મારો સ્વાનુભવ છે !'' અનેકાન્તવાદનો આ ભવ્ય સિદ્ધાંત સાંભળી લોકોનાં હૈયા આનંદથી વિકસી ઊઠ્યાં. આ નૂતન દૃષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લોકોના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. “કેવી વિશાળ ભાવના ! કેવી વિશાળ દૃષ્ટિ ! દેવ ! આપ ધન્ય છો. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યો છે તે અદ્ભુત છે ! આપ આપની વાણીનું અમૃત-ઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતી છે, દેવ !'' આ વિભૂતિનો રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો “ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદૃષ્ટિની વાત કરી ગયો વિચારવાની વાત કહી ગયો. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે. અહિંસા એ સુંદર સરિતા છે, અનેક દૃષિત હૈયાં એના જળથી તરસ છિપાવે છે. અહિંસા એ સેતુ છે, કે જે બે વિખૂટાં દ્વેષી હૈયાંઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે. અહિંસા એ વસંતની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા એ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાનો બીજો એકેય ઉપાય નથી જ. અહિંસાની અમર ચંદ્રિકા જ વિશ્વ ઉપર અમૃત વર્ષાવશે. હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળોની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હોળી સળગાવી છે. હિંસાનાં સામ્રાજ્યોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુઓનો ભોગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હોમાતાં પશુઓનું રક્ષણ કરો. જાતિવાદના નામે ધિક્કારાતા દલિત વર્ગનો ઉદ્ધાર કરો. અહિંસા Jain Education International ૩૬૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy