SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ++++ ૩૪. પૂર્ણાષ્ટક (૭) परस्वत्व कृतोन्माथा भूनाथा न्यूनतेक्षिण । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ।। જે પારકું છે એને પોતાનું માને, એના ઉપર સ્વામિત્વનો અધિકાર કરે, એને પોતાનામાં સમાવી દે અને પારકામાં પોતે એકરૂપ બની જાય, આ છે ઉન્માદ અવસ્થા. જ્યાં સુધી પોતે પોતાની અવસ્થામાં હોય ત્યાં સુધી એ સ્વસ્થ છે પણ જ્યાં પારકી વસ્તુમાં સ્વત્વનો અને સ્વામિત્વનો અધિકાર આવે એટલે ઉન્માદ ઉત્પન્ન થાય. ખચ્ચર ઉપર નાની પાલખીમાં વિઠોબાની પ્રતિમા ગોઠવી ભક્તો એક મંદિરથી બીજે મંદિર લઈ જઈ રહ્યા હતા. બજાર આવે ત્યાં બધા દુકાનદારો પ્રણામ કરવા ઊભા થાય. વાજાં વાગે, ઢોલ વાગે અને ચારે બાજુથી શેઠિયાઓ ઊતરી ઊતરીને દર્શન કરવા આવે. ખચ્ચરને થયું : આટલા આટલા લોકો મારી આગળ ચાલે, ઢોલ, નગારાં વાગી રહ્યાં છે, અરે, મારી પૂર્ણાષ્ટક * ૩૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy