SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પણ માણસ પાસે એવો વિશ્વાસ નથી. દરેક બાબતમાં શંકા, દરેક કામ શંકાથી જ શરૂ કરવામાં આવે તો તે પાર કેમ ઊતરે ? શંકા અને કંકા એ તો દર્શનાચારના અતિચાર ગણવામાં આવ્યા છે. જે કાંઈ કામ કરો તે શ્રદ્ધાથી કરો તો જ તમે જરૂ૨ પાર ઊતરી જાઓ. તર્ક નુકસાન પણ કર્યું છે, કોઈ બાબતમાં એ દઢતાથી વિશ્વાસ જ કરી શકતો નથી. બધી બાબતમાં ભયથી વિચારે, “આ થશે કે નહિ થાય ?” “નહિ થાય' એ વાક્ય છેલ્લે આવે છે એટલે લગભગ છેલ્લું વાક્ય જ ઊભું રહે. પણ જે નક્કી કરીને જાય છે, “થશે જ' એને સફળતા મળ્યા વિના રહેતી નથી. આ શંકાઓના કચરાને કાઢીને ખાલી થાઓ, અપૂર્ણ બનો તો શ્રદ્ધા અંદર આવીને નિવાસસ્થાન કરશે. જ્યાં શ્રદ્ધા આવીને વસી ત્યાં પાર વિનાનો પ્રકાશ છે. - આજે એટલા બધા મંત્રો શરૂ થયા છે કે મૂળ તત્ત્વ જ ચાલી ગયું. કો'ક દેવલાનો ગણે, કો'ક દેવલીનો ગણે. એમ કરતાં મૂળ મંત્ર “નમો અરિહંતાણ”ની શ્રદ્ધા ચાલી ગઈ. એને ખબર નથી કે દુનિયાના બધા જ દેવો અને દેવીઓ અરિહંતના, જેણે અંદરના શત્રુઓને હણી નાખ્યા છે તેના ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યા છે. જેના ચરણોમાં દેવદેવીઓ બેસીને આરાધના કરે એ અરિહંત તમારા મનમાં વસ્યો છે ? તો બીજા દેવદેવીઓની શી જરૂર ? પણ આપણને એમ કે “નમો અરિહંતાણં' એ તો common મંત્ર છે, આપણને તો special મંત્ર જોઈએ. હવે એ special મંત્ર ક્યાંથી કાઢવો ? એટલે બાપડા મહારાજો આગળ પાછળ ૐ હી આવું કાંઈક ગોઠવીને આપે કે લઈ જા, આ તારે માટે special મંત્ર. માણસને શ્રદ્ધા આપવાની છે. જેમ દરદી ડૉક્ટરની પાસે જાય અને કહે : “સાહેબ, આ દવા કામની નથી, બીજી આપો.” ડોક્ટર શું કરે ? બીજો રંગ નાખી આપે, બીજું કરે પણ શું ? મને લાગે છે કે નવકાર જેવો શક્તિશાળી અને મહામંત્ર એકે નથી. રોજ એવી શ્રદ્ધાથી ગણો અને કહો : “આ જ મારું સર્વસ્વ છે.” જ્યાં અરિહંતને નામે ન થાય તો બીજાના નામે શું થઈ શકે ? પણ એ વસી જવું જોઈએ. જ્યાં સુધી શંકા પડી છે ત્યાં સુધી સિદ્ધિ થતી નથી. સિદ્ધિ અને શંકાને સંબંધ જ નથી. જ્યારે શંકા કાઢી નાખો છો ત્યારે જ સિદ્ધિ અવતરે છે. પહેલાં તમે શંકાને અને વિષયોના કચરાને કાઢી નાખો. એટલે અપૂર્ણ બનશો. જ્યાં અપૂર્ણ બન્યા પછી પૂર્ણ બનવામાં વાર નથી લાગતી. ૩૪૦ % માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy