SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. જેટલા પ્રમાણમાં અશુદ્ધ તત્ત્વ મળેલું છે એટલી એની કિંમત ઓછી. જેટલા પ્રમાણમાં શુદ્ધ તત્ત્વ વધતું જાય એટલી એની કિંમત વધતી જાય. આપણો આત્મા જેટલા પ્રમાણમાં વાસનાઓથી, વૃત્તિઓથી, વિકારોથી, કર્મથી, પરિગ્રહથી, સંગ્રહથી ભરેલો હોય તેટલા પ્રમાણમાં અધ્યાત્મ દૃષ્ટિએ એની કિંમત ઓછી થતી જાય. દુનિયા કોની કિંમત આંકે છે તે ન જોશો. એ તો ગમે તેની ગમે તે કિંમત કરે કે કહે, પણ આધ્યાત્મિક જગતમાં તો જે વાસનાથી અપૂર્ણ છે એ જ પૂર્ણ છે. કોનાથી અપૂર્ણ ? કર્મથી અપૂર્ણ. જેનાં કર્મ ખરી ગયાં, જે કર્મથી શુદ્ધ થયો અને જે કર્મ વગરનો બની ગયો તે જ પૂર્ણતા પામી ગયો ! જેવો હાથ છોડો કે તરત એ પટ્ટીઓ તૂટી જાય અને બધું બહાર નીકળી આવે. એવી જ આપણી માનસિક અવસ્થા છે. સારી સારી વાતો અંદર રહી શકતી નથી, તરત ભુલાઈ જાય છે અને ખરાબ વાતો એટલી બધી છે કે બહાર નીકળતી નથી. ભગવાનની પાસે શા માટે જઈએ છીએ ? કારણ કે એ પૂર્ણ છે. જે કાંઈ એમને કર્મનું દેવું ચૂકવવાનું હતું તે એમણે ચૂકવી દીધું. એમણે કહ્યું : લઈ લો.' તમે જ્યારે ચુકવવા બેસો ત્યારે લેણદારો હાજર જ હોય. શાહુકાર પાસે લેવા જાય પણ પાર્ટી ખલાસ જ થઈ હોય તો લોકો શું કહે ? “હવે એની પાસે શું છે ? નકામો પેટ્રોલનો ખરચો થશે. હમણાં પૈસા આપે તેમ નથી.” જેવી લોકોને ખબર પડે કે આસામી ચૂકવવા તૈયાર છે તો લેણદારો દોડાદોડ કરી મૂકે. “ચાલો, હવે એ દેવા માટે તૈયાર થયો છે તો આપણું લેણું આપણે પહેલાં લઈ લઈએ.” જે માણસ કર્મના દેવાથી છૂટો થવા માગે છે એની પાસે કમ લેવા આવે છે, “મારું પહેલાં આપી દો." જે ધર્મના માર્ગે જાય તેને બહુ મુસીબત પડે છે, જે સાચે માર્ગે જાય તેને બહુ દુ:ખ પડે અને જે આત્માને માર્ગે જાય તેને ન ધારેલી વિપત્તિઓ આવીને કસોટી કરે છે. ત્યારે લોકો શું કહે ? “જુઓ, ધર્મીને ઘરે ધાડ પડી અને પાપીને ઘરે પેંડા.” વાત સાચી છે. પ્રામાણિકને આપવું છે અને દેવાળિયાને આપવું નથી. આ તો તૈયાર થઈ ગયો છે “લઈ લો, હવે હું જાઉં છું, હું આખા વિશ્વ (gravitation)ના કર્મના નિયમમાંથી છૂટો થવા માગું છું.” ભગવાન મહાવીર ત્રીશ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ત્યાં સગવડ અને સુખની છોળો ઊછળતી હતી. પણ જે દિવસે દીક્ષા લીધી તે રાતથી જ ઉપદ્રવો પૂર્ણાષ્ટક * ૩૩પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy