SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કાંઈ નહિ લાગે. હમણાં ઊપડવાનો વારો આવે તો બધું મૂકીને જવું પડે. આમ ને આમ રહી જાય. એ ટળવળતો રહે, દેખતો રહે, દુભાતો રહે પણ એને કામ ન લાગે. એણે એવું ભેગું કર્યું છે જેને જીવનભર સાચવવાની ચિંતા અને જાય ત્યારે સાથે કાંઈ ન આવે. એની ચિંતા કેટલી ? અપરિગ્રહીને કેવું સુખ ! સાડા નવે તો ઊંઘી જાય. તમને ઊંઘ કેમ નથી આવતી ? ચિંતા છે. કાલે શું આવશે ? પૈસા કેમ ગોઠવવા ? ક્યાં રોકવા ? ક્યાં વ્યાજ વધારે મળશે ? જેમાં invest કરવા માગું છું એ કંપની ડૂબી જાય એવી તો નથી ને ? એ ખાધમાં જાય તો મારા બધા શૅરો ડૂબી જાય. કંપનીનો એક શૅર લેવો હોય તો આખી કંપનીનું બજેટ અને balance sheet જોઈ જાય. એનાંમૅનેજિંગ ડિરેક્ટર કોણ વગેરે બધું વિચારે. એક માટે કેટલાની ચિંતા ? જેને હજારોના અને લાખોના શૅર રાખવા પડતા શે એને શું સુખિયો કહેવો ? હા, તમે એને સુખી માનો છો ! કોઈકે ઠીક જ કહ્યું : બહોત વણજ, બહોત બેટિયાં, દો નારી ભરથાર, ઉસકો ક્યા અબ મારીએ, માર રહ્યા કિરતાર. જેને ઘણા વેપાર હોય, ગામેગામ ઘણી પેઢીઓ હોય એને બિચારાને તો કિરતાર પોતે જ મારી રહ્યો છે; એવાને તમારે મારવાની શી જરૂર છે ? પણ તમે તો અતિ વ્યાપાર કરનારને સુખી માનો છો, પણ એના મન ઉપર, એના જ્ઞાનતંતુઓ ઉપર કેટલી તાણ પડી રહી હોય છે એની તો તમને કલ્પનાયે શેની હોય ? જીવન ન તૂટ્યું હોય તોપણ તૂટી જાય. આ પદાર્થને સાચવવામાં, એની વ્યવસ્થા કરવામાં, આખી જિંદગી ઉપાધિ ક૨વી પડે અને ખૂબીની વાત એ છે કે મૃત્યુ આવે તો બે મિનિટમાં બધું મૂકીને ચાલ્યા જવું પડે. બધું Investment ચાલ્યું જાય ! આ જીવે કેટલું બધું ભેગું કર્યું, કેટલી બધી ચિંતા કરી, છતાં એ બિચારો અપૂર્ણ જ રહ્યો. હવે કરવાનું શું છે . જે બહારથી ભર્યું છે તે બહાર કાઢવાનું છે. સોનાને ધૂળથી જુદું પાડવાનું છે, આત્માને કર્મથી જુદો પાડવાનો છે. આત્માના એક એક પ્રદેશમાં અનંત કર્મ ભરાઈ ગયાં છે. આત્મા જેમ જેમ કર્મથી ભરાતો જાય, વાસનાથી લદાતો જાય તેમ તેમ એ ક્ષીણ થતો જાય છે. કર્મવાસનાથી તેને જુદો પાડો તો એ શુદ્ધ થાય. સોનાને ધૂળથી જુદું પાડો તો શુદ્ધ સુવર્ણ થાય. મલિન સોનું હોય કે આત્મા, એનો શુદ્ધ ભાવ નહિ ૩૩૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy