SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અને પદાર્થો પારદર્શક દેખાય. મન જુદી જ ભૂમિકામાં જાય. પીણાની અસર નીચે આવતાં માનવી પાગલ બને છે. એ એને ન કરવાનું પ્રેરે છે, દોરે છે, અને ક્યાંક લઈ જાય છે. એ વખતે એ વ્યક્તિ જે ભૂલ કરે છે, એ વ્યક્તિ નથી કરતી પણ એના ઉપર પેલા પીણાની અસર છે એટલે એ કરે છે. એને ખબર નથી કે drink એની પાસે આ કરાવે છે. એમ આ જીવ પેલાં કર્મની અસરને લીધે ન કરવાનું કરે છે. ઘણાને એમ થાય કે આ ન કરું, આ સારું નથી, છોડવા લાયક છે. પણ એ ઘડી આવતાં એ કરી બેસે છે. એનાથી થઈ જાય છે. કેમ થાય છે ? જે જાતનાં કર્મ કર્યા છે એ જાતની instinct ઊભી થાય છે. સારામાં સારો માણસ ગાંડા જેવી વાતો કરવા લાગે છે. આવો ડાહ્યો, આવો પ્રજ્ઞ, આવી નાદાન ચેષ્ટા કેમ કરે છે ? એ નાદાન ચેષ્ટા સારો માણસ નથી કરતો પણ એનામાં રહેલું કર્મ એને એ રીતે કરાવી રહ્યું છે. કોઈક વાર એનું આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે સારામાં સારો અને ડાહ્યામાં ડાહ્યો માણસ નાની વાતમાં આપઘાતનો વિચાર કરી બેસે છે. બળવાન નિમિત્ત મળી જાય તો એ બચી પણ જાય છે. ઉપાદાન હોવા છતાં નિમિત્તની મહત્તા અને શ્રેષ્ઠતા ગણવામાં આવી છે. બાકી કર્મનો ઉદય તો આવવાનો જ. એ વખતે ધ્યાન રાખી વિચાર કરવો રહ્યો કે આવો ઉદય કેમ આવ્યો ? જ્ઞાનની જાગૃતિમાં કયું કર્મ કેવી રીતે આવીને કઈ રીતે કામ કરાવી રહ્યું છે એની સમજણ આવે છે. અને એ સમજણને કારણે વિચાર કરતો થાય કે આ ઔદોયિક ભાવોની અસર નીચે મને કેવા કેવા વિચારો આવી રહ્યા છે ! મારા જેવા માણસને આવા વિચારો કેમ ? જ્યારે એ ઔદોયિક ભાવની અસર પૂરી થાય છે. ત્યારે એ પાછો મૂળ સ્વભાવમાં, જ્ઞાનમાં આવીને ઊભો રહે છે. આત્મા જેમ જેમ કર્મથી વધારે લદાય છે તેમ તેમ સંસારમાં વધારે પરિભ્રમણ કરતો ફરે છે, જેમ જેમ એનાં કર્મ ઓછાં થતાં જાય છે તેમ તેમ એ હળવો અને ગરવો બનતો જાય છે. રામાએ અંદર આ ખરાબ જડ કર્મ તત્ત્વ ભરી રાખેલું છે એટલે જ એ અપૂર્ણ છે. રસ્તાનો ભિખારી પોતાની ઝોળીમાં કાગળના ડૂચા ભરે, ડબલાં ભરે, પણ એની કિંમત – value જોવા જાઓ તો કાંઈ નથી. સોની નોટ નાનકડી હોય પણ એ કેવી કીમતી ? પસ્તીના ઢગલેઢગલા મૂકો તો પણ એની કિંમત ન થાય. એમ આપણે કેટલું બધું ભેગું કર્યું, પણ તે પસ્તી જેવું, દેખાય ખૂબ પણ પૂર્ણાષ્ટક = ૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy