SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ કાં ગાંડામાં ખપી હૉસ્પિટલ ભેગા થવું પડે ! કલ્પના આવી એટલે કાંઈ અધવચ્ચે ઊતરાય ? તમે પ્લેનમાં બેઠા, પ્લેન આકાશમાં ઊડવા લાગે અને તમે કહો I don't, like it, મને નથી ગમતું. મારે ઊતરી જવું છે તો નહિ ચાલે. તમારા એકની ખાતર પ્લેન નીચે નહિ ઊતરે. જુઓ, પૈસા તમે આપ્યા છે, પ્લેન તમે પસંદ કર્યું છે પણ બેઠા પછી તમે એને આધીન બની ગયા. પછી તમારું કાંઈ જ ન ચાલે. એવી રીતે આ જીવ કર્મરૂપી વાહનમાં ગોઠવાઈ જાય છે પછી કર્મ પ્રમાણે ઉડ્ડયન કરવું પડે છે. તમે કહો કે આ નહિ ચાલે તો તે નહિ ચાલે, તમારે ચલાવવું જ પડશે. આ કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ છે, એની પરિણતિઓ એ જ instinct છે. To be or not to be થવું કે ન થવું, એ પ્રશ્રનમાં જ આખું જીવન પૂરું થઈ જાય છે. ચિત્તની સ્વસ્થતા, મનની સમજ અને જીવનનો તાગ નથી મળ્યો એ જ આવા પ્રશ્નો કરે છે. પણ કર્મવાદ સમજાઈ જાય તો તમને To be અસ્તિત્વનો અનુભવ થાય, Not to beનો પ્રશ્ન જ નથી. જ્યાં ચૈતન્ય ધબકાર કરતું હોય ત્યાં Not to beનો પ્રશ્ન આવે જ ક્યાંથી ? જીવન જ્યારે કોઈ instinct પ્રમાણે, કોઈ વૃતિ પ્રમાણે, કોઈ ધક્કા પ્રમાણે કામ કરતું હોય ત્યારે એની પાછળ આઠ કર્મોમાંથી એકાદું કર્મ કામ કરી રહ્યું હોય છે. અજ્ઞાન હોય ત્યારે જાણવું કે જ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે, ભૂખ ખૂબ લાગી હોય ત્યારે વેદનીય કર્મ કામ કરતું હોય છે, વાસનાઓમાં મન બહુ દોડતું હોય તો વેદોહનીયનો ઉદય સમજવો. આ કર્મોની પ્રકૃતિ shades જુદી જુદી છે. એક એક કર્મ માણસને કેવી વિચારણામાં અને જીવનની જુદી જુદી પરિસ્થિતિમાં મૂકી દે છે ! આખું જગત કર્મની અસર influence પ્રમાણે કામ કરતું લાગે છે. હમણાં અમેરિકામાં નવું drink નીકળ્યું છે, ‘એલ એસ ડી’ કહેવાય છે. Hippies ખૂબ લે છે. એ લીધા પછી જુદા જુદા વિચારોનાં ઉડ્ડયનો આવે. પંદરમે માળે બેઠેલાને પીણું લીધા પછી થાય કે હું પક્ષી થઈ ગયો છું, આ ગગન મારા ઊડવા માટે છે. એમ કરીને બારી આગળથી હાથ લાંબા કરી કહે : “આ ઊચો'', એ ક્યાં જાય ? ઠેઠ નીચે આ જગત મૃદુ લાગે, જુદા રંગોથી રંગાયું દેખાય, Jain Education International - ૩૩૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only તળિયામાં. કેટલાકને વળી હવામાન સુવાસિત લાગે www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy