SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ બિરબલ ગરીબ હતો. એ અકબર પાસે ગયો. સરસ વાતો કરી. અકબરને પ્રસન્ન કર્યો. અકબરે પૂછ્યું : “શું જોઈએ છે ?'' બિરબલે કહ્યું : “બીજું કાંઈ નહિ, આપ જ્યારે સિંહાસન ઉપર બેસવા જાઓ ત્યારે કાનમાં આટલું ન કહો કે અલ્યા બિરબલ, કેમ છે ?”” આપનો તુંકારો મારે મન ખૂબ છે.” અકબર કહે : “અરે, આમાં તારું શું વળવાનું ? કહે તો થોડા પૈસા આપું.'' બિરબલે કહ્યું : “જહાંપનાહ ! રોટલા કરતાં મન તૃપ્ત થાય એ બહુ મોટી વાત છે.'' અકબરે “હા પાડી. એ રથમાંથી ઊતરી સિંહાસન ઉપર બેસવા જાય ત્યારે એ પૂછે, “બિરબલ ! કેમ છે ?'' આવું બે-ચાર દિવસ ચાલ્યું. ધીમે ધીમે ગામમાં વાત પ્રસરી ગઈ. બિરબલ બાદશાહનો માનીતો છે, રાજા સિંહાસન ઉપર બેસતાં પહેલાં એને જ પૂછે : “કેમ છે ?'” એનું સ્થાન બાદશાહના મનમાં કેટલું મોટું હશે ! સૌ બિરબલને બોલાવવા લાગ્યા. શ્રીમંતો, મોટા સામંતો સૌ બિરબલને સલામ ભરે. “જેને બાદશાહ જાહે૨માં પૂછે એને એકાંતમાં તો કેટલા મળતા હશે ? આપણી વાત કરે તો આપણું કામ થાય. એની મહેરબાની મેળવો. અકબરની મહેરબાની નહિ મળે પણ બિરબલની તો જરૂર મળી શકે.' ધીમે ધીમે એ મોટો થવા લાગ્યો, ભેટો આવવા લાગી. અકબરને થયું : “માગનારા ઘણા આવ્યા પણ બિરબલે કાંઈ જ ન માગ્યું. એક મહેરબાની જ માગી.'' પણ ખરી રીતે એણે તો ઘણું માગી લીધું. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું : “બિરબલ ! મેં તને કાંઈ આપ્યું નથી તેમ છતાં તું મસ્ત કેમ રહે છે ?'' “જહાંપનાહ ! તમારી નજરોમાં આવી ગયો, એટલે ગામની નજરોમાં વસી ગયો.'' આનું નામ આંતરદૃષ્ટિ. પૂર્ણાનંદની સુધા એટલે અમૃતથી સ્નિગ્ધ બનેલી, સુકુમાર, ભાવાત્મક બનેલી દૃષ્ટિ મનીષીની છે. આ દૃષ્ટિમાં પૂર્ણતા છે, આ દૃષ્ટિમાં દિવ્યતા છે. Jain Education International પૂર્ણાષ્ટક × ૩૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy