SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ સી.આઈ.ડી.ને અભણ માણસોની લેવામાં આવતી અંગૂઠાની છાપ (thumb impression) વિષે પૂછ્યું તો કહે : “મારા જીવનમાં પચાસ હજાર ચોર, ડાકુ અને ખૂનીની thumb impression લીધી છે પણ એકેય print આજ સુધી બીજાની સાથે મળતી નથી આવી.” નાના-શા અંગૂઠામાં આટલો ફેર તો આકાર, વિચાર અને સ્વભાવમાં ફેર કેમ ન હોય ? પણ તમે તો એમ જ કહો છો, “મારા જેવો તું થા.” એ કેવી રીતે બને ? સહુ પોતપોતાના કર્મ પ્રમાણે બને છે. આ દૃષ્ટિ કોને આવે છે ? જે વિચાર કરે છે તેને મળે છે. બધાને નથી મળતી. આ સાંભળે ઘણા, પણ જેનું પુણ્ય હોય એ જ સાચો મનીષી બને છે. એ સાંભળીને વિચારે : “જે શ્રવણ કર્યું એની સાથે મારો સંબંધ શું છે ?" વિચારના દોરે દોરે એ ચાલ્યો જાય, જે મનીષી નથી એમનો દોરો તૂટી જાય. એક દહાડો રંગમાં આવી જાય પણ બે-ચાર દિવસે જેવો હતો તેવો ને તેવો. જે મનીષી છે એ વિચારના વિકાસક્રમમાં આગળ વધે છે. સર્વને આ દૃષ્ટિ નથી મળતી. જે વિચાર કરે તેને જ આવી આંતરદૃષ્ટિ મળે છે. જ્યાં આંતરદષ્ટિ મળી ત્યાં બાહ્યદૃષ્ટિનો રંગ જુદો લાગે. બહારની નજર ચામડાની છે, અંદરની નજર આત્માની છે. યાત્રાએ સંઘ જતો હતો, એમની સાથે એક અંધ ભાઈ પણ ચાલ્યો જતો હતો. કો’કે પૂછયું : “તું કયાં આવે છે ?” “આપની સાથે યાત્રાએ.” “અરે, અમે તો ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ અને તું તો આંધળો...તું શું જોવાનો ?” જે કહેવાનું હોય તે જ કહો પણ યોગ્ય રીતે કહો. ઘણી વાર આંધળો કહેનારા દેખતા નથી હોતા. અંધભાઈ સમજુ હતા, આંતરદૃષ્ટિ ખૂલી હતી. એણે કહ્યું : “હું ભગવાનને નહિ જોઉં પણ ભગવાન તો મને જોશે ને ! મારી આ સ્થળ આંખોમાં ભગવાન નહિ આવે પણ હું તો ભગવાનની દિવ્ય નજરમાં આવી જઈશ ને ? હું ભગવાનની નજરોમાં વસવા માગું છું.” આપણા મનમાં ભગવાન વસે તે કરતાં આપણે ભગવાનના મનમાં વસી જઈએ એ બહુ મોટી વાત છે. ભગવાનના મનમાં વસવું એ કાંઈ નાનીસૂની વાત નથી. આ આંતરદૃષ્ટિ છે. આપણે ભગવાનની નજરોમાં આવીએ, ભગવાનની આંખોમાં વસીએ, એમના ચરણોમાં આપણું સ્થાન હોય એવું જીવન જીવીએ તો જ ત્યાં સ્થાન મળે. ૩૨૮ - માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy