SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઘરમાં કોઈ કોઈના માટે કાંઈ ન કરે અને બહાર હજારોનું કરે. એક કંજૂસ માણસ અહીંથી પાયધુની જવું હોય તો ચાલીને જાય પણ એને એકની સાથે એવી લેણદેણ કે એને જરૂર હોય તો એ પચીસ રૂપિયા કાઢીને આપી દે, એ ભાઈ કહે : “મહારાજ ! ગમે તે હોય પણ એને જોઉં છું અને આપવાનું મન થઈ જાય છે. એની ગરીબી કહો, કહેવાતી રીત કહો પણ એ માગે તો આપી જ દઉં. કદાચ મેં ગયા જન્મમાં એની પાસેથી લીધું હશે, બાકી હું અમસ્તો એક પૈસો પણ વાપરતો નથી.” માણસ કોઈ કોઈને નથી આપતો. આપે છે તે માત્ર લેણદારને જ આપે જ્ઞાનીઓએ કહ્યું : “સ્નેહ, વેર તે કારણે દેખી પરસ્પર હોય.” પૂર્વજન્મના પુણ્યને લીધે સ્નેહ ઉત્પન્ન થાય, પાપને લીધે દ્વેષ ઉત્પન્ન થાય. તમે જેને માટે કરો છો એ કાંઈ એના ઉપર ઉપકાર નથી કરતા ! એણે કાંઈક આપેલું એટલે તમે એને માટે કરો છો. જીવનપ્રવાસમાં સહુ સાથે સરસ વર્તન રાખતાં રાખતાં અંદર ધ્યાન રાખવું કે હું જવાનો છું. આ જીવનમાં એકલો આવ્યો છું; લોકોને રાજી કરવા, લોકો પાસેથી પ્રશંસા મેળવવા કે માનપત્ર લેવા નથી જમ્યો. કર્તવ્યની કેડી પર મારે ચાલ્યા જવાનું છે. વિકાસ એ જીવનનો હેતુ છે. વિકાસ કરતાં કરતાં પૂર્ણતાને પામીએ તો આપણા સ્નેહીઓને પણ એનો લાભ મળે. કદાચ પ્રશ્ન થાય કે આ તો selfish motive કહેવાય, સ્વાર્થવૃત્તિ કહેવાય. તમારું જ કરી લો, બીજાનું કાંઈ નહિ ! આત્માર્થી સ્વાર્થી ખરો પણ, એ જ ખરો પરમાર્થી બને છે. સારું જીવન જીવે, નીતિથી જીવે, પ્રમાણિકતા હોય, સ્વજનોને સારા માર્ગે લઈ જાય અને એના જીવનના પ્રકાશથી આસપાસના સ્વજનોનાં જીવનને રંગી નાખે. એ શું સાચો પરમાર્થી નથી ? પણ જેના પોતાના જ જીવનમાં કાંઈ ન હોય તો એ સાથીઓને, પત્ની, પુત્રને શું આપવાનો છે ? જીવન સુંદર બનાવી, જીવનની સુંદરતાનો લાભ સ્વજનોને મળે એ માટે વિકાસનો વિચાર છે. હું આ જગતમાં વિકાસ કરવા આવ્યો છું. સહુ આત્મા પોતપોતાની સમજના પ્રકાશ પ્રમાણે વિકાસ કરી રહ્યા છે. જગત વિવિધતાથી ભરેલું છે. જેટલા જીવો છે એટલા પુણ્યની પ્રકૃતિના ભેદ છે. સંસારમાં એકસરખા બે માણસો નહિ મળે; બહારથી દેખાય પણ વિગતથી જોવા જાઓ તો એકસરખા નહિ મળે. પૂર્ણાષ્ટક * ૩૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy