SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી નહિ, આરસની શિલાઓ છે. એ ઉપર જાય છે. શાળીભદ્રની મા શાળીભદ્રને નીચે બોલાવે છે. એનું શરીર પારિજાતક જેવું સુકુમાર છે. અનંત સમૃદ્ધિ છે. ઘડીભર શ્રેણિકને થયું : “હું આ મગધનો રાજા, જે નથી માણતો એ શાલીભદ્રના સેવકો માણે છે !” ત્યાં એને ભગવાન મહાવીર યાદ આવ્યા. એમણે કહેલી પુણ્યની વિવિધતાની વાત સાંભરી આવી. કર્મની પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન પ્રકારો તે આનું નામ. પુણ્ય ભોગવવાની પ્રકૃતિઓ જુદી છે. કોઈ રાજા બની જાય પણ શાતાવેદનીય સુખ ન અનુભવી શકે અને કોઈ શાતાવેદનીય અનુભવતો હોય પણ રાજા ન હોય. એકને ભોગાવળી પુણ્યનું સુખ છે, બીજાને રાજ્યનું અનુશાસન કરવાનું પરાઘાત નામનું કર્મ છે. શ્રેણિકે વિચાર કર્યો : “મને અનુશાસનનું, હુકમ કરવાનું પુણ્ય મળ્યું છે, જે શાળીભદ્રને નથી મળ્યું. અને એની પાસે વૈભવના ઉપભોગનું પુણ્ય છે તે મારી પાસે નથી. એની દુનિયામાં એ સમૃદ્ધ છે, મારી દુનિયામાં હું સમૃદ્ધ છું.” મનમાં બળતા નહિ, ઈર્ષ્યા નહિ. એટલે જ શાળીભદ્રને લૂંટીને રાજ્યભંડાર ભરવાનો વિચાર એને ન આવ્યો. - આજે આ જ્ઞાન વગરના, અધ્યાત્મ વગરના ભૂખ્યાઓને બોલાવો તો તમારા દુ:ખનું કારણ જ બને ને ? પણ જે કર્મવાદને જાણતો હોય એ દુનિયામાં રહે ખરો પણ તૃપ્ત હોય. ધર્મ સમજાઈ જાય તો જીવનની દિશા બદલાઈ જાય. દુનિયામાં કંજૂસને કૃપણ કહેવાય પણ અહીં મંદ બુદ્ધિવાળો કૃપણ કહેવાય. એ રાતદિવસ સાચું-જૂઠું કરીને, આર્તધ્યાન કરીને, મિત્રોને દગો દઈને, બીજાને માટે પૈસો ભેગો કરે અને પોતાને માટે દુર્ગતિનું ભાતું બાંધે એના જેવો કમઅક્કલ બીજો કોણ ? માખીઓની જેમ ગુનગુન કરી મધપૂડો તૈયાર કરે અને કોઈ રીંછ આવી, હાથ મારીને બધું લઈ જાય, બધું ખાઈ જાય; એવો આત્મા કૃપણ નહિ તો બીજું શું કહેવાય ? સાચાં મા-બાપ તો છોકરાંઓને સરસ ઉચ્ચ કેળવણી આપે, સંસ્કારો આપે અને કહે : “હવે તમે તમારું ભાગ્ય નિર્માણ કરો, પાપથી ભેગું કરેલું તમને આપીને મારે તમને દુર્ગતિમાં નથી મોકલવા.” - કૃપણો શાની અપેક્ષા કરતા હોય છે ? ધનની. પારકી વસ્તુ મળે તે કામ લાગશે માની પૂરતા જાય, ભરતા જાય, પોતાની જાતને સુખી માનતા જાય, પણ જ્ઞાનીઓ કહે છે કે જેનાથી કપણ પોતાને ભરાતો માને છે, પૂર્ણ માને છે, ગઢ જીતી ગયો માને છે એની તે ઉપેક્ષા કર, કપણ માને છે તે ભ્રમ છે. એ ગઢમાં જશે ત્યારે ખબર પડશે કે ગઢ છે કે ગત ! ૩૨૨ : માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy