SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સાસુ જ્યારે વહુને લઈને ઘરમાં આવે છે ત્યારે કૂદતાં હોય છે, ‘આહાહા ! જાણે ગઢ જીતી આવ્યાં !'' ખૂબ રાજી હોય. બાર મહિના પછી જુઓ, કર્યો અને કેવો ગઢ જીતી આવ્યાં ? જેનાથી એ માને કે પુરાઈ ગયા, ભરાઈ ગયા, સુખી થયા એનાથી કોઈ પુરાતું નથી. પૌલિક વસ્તુઓથી કોઈ પૂર્ણ બન્યું છે ખરું ? અંતરની પૂર્ણતા શું છે ? જેનાથી કમઅક્કલવાળા માણસો ‘ભરાઈ ભરાઈ ગયા' એમ માને છે એની ઉપેક્ષા કરવી, એની સામે negligent બનવું, indifferent બનવું, એ જ પૂર્ણ બનવાની સુંદર અને ટૂંકી રીત છે. મનથી જે અપૂર્ણ છે એ પોતાને મળ્યું તેનો તો વિચાર જ નહિ કરે, પણ ન હોય તેનો જ સતત વિચાર કરશે. “આની પાસે આટલું બધું છે, કેવો સુખી છે ! મારી પાસે કાંઈ નથી.'' “અરે ભાઈ ! તને એના સુખની શી ખબર ? એ એક રોટલી ખાઈ શકતો નથી અને તું પાંચ રોટલી ખાઈ જાય છે ! એને ખાતાં પહેલાં ઇન્જેક્ષન injection ખાવું પડે છે, તું તો વગર વિચારે ઝાપટે જ રાખે છે.'' થોડોક વિચાર કર. તને કેટલું સરસ શરીર મળ્યું છે. મળેલી અનુકૂળતાનો વિચાર કરશો તો લાગશે કે કંઈક પુણ્ય કર્યું તો આટલું મળ્યું. હવે જો પુણ્ય અને પાપનો ક્ષય થઈ જાય તો તો સીધો મોક્ષે જ પહોંચી જાઉં, આપણને મોક્ષમાં પહોંચવાની પરમ શક્તિ મળી છે, ધર્મ કરવાની અનુકૂળ સામગ્રી મળી છે; આપણા જેવું ભાગ્યશાળી કોણ ? ધર્મસહિત, દુનિયામાં દાસ બનવું કબૂલ છે, પણ ધર્મવર્જિત કરોડપતિ બનવું નકામું છે. ધર્મવર્જિત કરોડપતિ મરીને દુર્ગતિએ જાય જ્યારે ધર્મસહિત નોકરી ક૨ના૨ો સદ્ગતિએ જાય. તમારું પુણ્ય જુદી પ્રકૃતિનું હોય અને તમે કોઈના સુખની ઝંખના કરો, તો એના જેવું મળે નહિ અને તમે તમારા જેવા રહો નહિ. “બીજાના અનુકરણમાં બીજાના જેવા થવાતું નથી અને જે છે તે રહેવાતું નથી.' કાગડો મોર બનવા બેસે તો તે મોર બની શકતો નથી અને કાગડાની દુનિયામાં પ્રવેશ મેળવી શકતો નથી. માટે માણસે પોતે પોતાની અવસ્થાનો વિચાર કરવો જોઈએ. બીજાના ધનની અપેક્ષા ક૨વી એના કરતાં ઉપેક્ષા કરવી સારી. તમારામાં આજે બીજાની અપેક્ષા છે. અપેક્ષાને લીધે આખું જીવન કટુ બની ગયું છે. દરેકની પાસે અપેક્ષા. ‘આ મને પ્રણામ કેમ કરતો નથી, મને બોલાવતો કેમ નથી, તે આમંત્રણ મોકલતો કેમ નથી ?’ પેલો Jain Education International પૂર્ણાષ્ટક * ૩૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy