SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મગજમાં ઠંડક આવશે અને ક્રોધ શાંત થશે.” પેલી બાઈ ભણેલી ન હતી પણ શ્રદ્ધાળુ હતી. સાસુ બોલવાનું શરૂ કરે એટલે દોડીને મોઢામાં ઠંડું પાણી રાખે અને મનમાં મંત્ર શરૂ કરે. સાસુ બોલી બોલીને થાકી જાય. કહે, “તમે તો કેવાં પથરા જેવાં છો ? આટલું બધું કહ્યું તોપણ બોલતાં નથી ! જાઓ, તમારી સાથે માથાફોડ કોણ કરે ?” જેવાં સાસુ ઠંડાં થઈને બેસે એટલે પેલી બાઈ મોટું ખાલી કરે. પછી પાડોશીને કહે કે તારો મંત્ર બહુ જબરો છે; હવે તો સાસુ બોલીબોલીને ઠંડાં થઈ જાય છે. એને ખબર નહિ કે મોઢામાં પાણી હોય ત્યારે બોલાય જ નહિ. ઝઘડો કરવો હોય તો બે જોઈએ, એકલો માણસ ક્રોધ કરે તો ગાંડામાં ખપે. કષાયના સમયમાં ઉત્તર નહિ આપવો એ જ સારી વાત છે. જેને કષાય આવે એને ખબર નથી હોતી. એની સાથે આપણે પણ કષાયમાં આવી જઈએ તો આપણી હાલત પણ સામા જેવી જ થાય ને ? એ પળ નીકળી જાય પછી બીજી પળે કષાય કરનારો બીજી સ્થિતિમાં જ હોય છે. એને પશ્ચાત્તાપ થાય. મેં આટલું કહી નાખ્યું ! આવું કહી નાખ્યું, ન બોલવાનું બોલ્યો !” કાંઈ નહિ. એને એ વખતે ખબર નહોતી. ન બોલવાનું બોલ્યો ! પણ એને આટલું સમજાયું એ પણ સમજની શરૂઆત છે. જપ કરનારે તપ કરવાનું છે. તપ કરનારને જપ ફળે છે. કયું તપ ? જ્ઞાનદૃષ્ટિનું તપ. જ્ઞાનદૃષ્ટિ એ મોટામાં મોટું તપ છે. એના જેવું તપ એકેય નથી. બધી જ પ્રવૃત્તિના મૂળમાં જ્ઞાનદૃષ્ટિ હોવી જોઈએ. જ્ઞાનદૃષ્ટિ લગાડો તો વસ્તુ તમને જુદી લાગવાની. જ્યાં સંસાર જુદો લાગ્યો પછી તમે ભલે સંસારમાં રહો પણ કર્તવ્યથી રહો, જાગતા રહો, જવાબદારીથી રહો, અધ્ધર રહો, કીચડમાં ડૂબો નહિ. તમારા બધા પ્રશ્નોનો ઉત્તર જ્ઞાનદૃષ્ટિ છે. જગતમાં બે જ તત્ત્વ છે : આત્મા અને કર્મ. બધા ચૈતન્ય એ આત્મા છે, જડ એ કર્મ છે અને કર્મ અને આત્માના જોડાણને લીધે સંસાર છે. કાંઈ ગૂંચ છે જ નહિ. જ્ઞાનદષ્ટિ આવે છે અને જીવ આ તત્ત્વનો વિચાર કરતો થાય છે. પછી દરેક પ્રવૃત્તિ કરે પણ એ જળકમળની માફક અલિપ્ત રહી સંસારનું આ રીતે અવલોકન કરતો આગળ વધે છે અને જીવનયાત્રા સુંદર રીતે પૂરી કરે છે. વર્ષો તો પૂરાં થવાનાં, રડતાં રડતાં કે હસતાં હસતાં, માથાં કૂટતાં કે અર્થવિહીન ચર્ચા કરતાં. જો દિવસો પૂરા જ થવાના છે તો શા માટે દુ:ખી થઈને પૂરા કરવા ? જાગૃતિમાં પ્રબુદ્ધ થઈ દિવસ કાઢીએ તો એ દિવસ સમતામાં જાય. પૂર્ણાષ્ટક = ૩૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy