SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાની સમજણ આવે એના જેવું સુખ કોઈ નથી. ખાવા રોટલો મળે, પહેરવા કપડાં મળે, રહેવા ઓટલો મળે એને બીજું કોઈ દુખ હોય તો એ ઊભું કરેલું દુ:ખ છે. આ ત્રણ દેહની જરૂરિયાતનાં દુ:ખ છે. આ ત્રણ હોય તેમ છતાં પણ જો દુ:ખ હોય તો એ અજ્ઞાનમાંથી જન્મેલા મોહનું છે. લોકો આ અજ્ઞાનને કારણે વસ્તુઓનો અભાવ કલ્પી દુઃખી થતા હોય છે. જ્ઞાનદૃષ્ટિ આવતાં આ ભૌતિક દુ:ખો પણ ઓછાં થતાં જાય. અંદરથી સુખ આવતું જાય. એ વિચારે : ચાલો, શરીર ઢાંકવા વસ્ત્ર છે, રહેવા મકાન છે, ખાવા રોટલો છે; હવે માલ પાણીને યાદ કરી આ રોટલાનો આનંદ શાને ગુમાવવો ? સુખનો વિચાર કરો તો તૃષ્ણા ઓછી થતી જાય. બાકી તો આ તૃષ્ણાનો ખાડો ભરતા જાઓ એમ ઊંડો ઊતરતો જાય. એક ભાઈએ શેરબજારમાં નવાણું લાખ બનાવેલા પણ કરોડપતિ બનવાની અભિલાષા. ગામના લોકોએ ઘણું સમજાવ્યા પણ ન માન્યા. કહે : નવાણું લાખ ઊભા કર્યા તો એક લાખ શું હિસાબમાં ? જોજો, હું કરોડપતિ થઈને આવું છું.” એક લાખ લેવા જતાં નવાણું લાખ મૂકીને આવ્યા. જેનાં કબાટો નોટોની થોકડીઓથી ભરેલાં રહેતાં એને મહિનો કેમ ચલાવવો એ પ્રશ્ન ઊભો થયો; શૂન્ય – round figure – કરવા જતાં પોતે જ શૂન્ય – round – થઈ ગયા. સંસાર એક ચક્કી છે. વ્યસની કે વેઠિયો પોતાની સાધના માટે સમય ન મેળવી શકે તે જરાક માની શકાય. પણ શેઠિયો થઈને કહે કે શું કરું, સમય મળતો નથી. તો આ અનુકૂળ સાધનોનો અર્થ શો ? સુખી માણસ તો ધર્મ વધારે કરી શકે ! આ જ્ઞાન, શ્રવણ, ચિંતન વારંવાર ક્યાં મળવાનું છે ? જ્ઞાનની ગંગા જરૂર વહે પણ સાંભળનારનું જ ભાગ્ય ન હોય તેનું શું ? જ્યારે સ્વાધ્યાય, ચિંતનનો લાભ મળે ત્યારે એ ન ચૂકો. જ્ઞાનથી, ધ્યાનથી જે પોતાના ચિત્તને તૈયાર કરે છે એની તૃષ્ણા ઓછી થતી જાય છે. જે જાગ્રત છે એ પૂર્ણાનંદી છે, એને દીનતા રૂપી વીંછણ ની વેદના થાય જ કેમ ? દીનતા એ વીંછણ છે. ઓછું આવતાં માણસના મનમાં ને મનમાં ડંખની વેદના થાય. તમે મધ્યમ વર્ગના હો, સગાને ત્યાં લગ્નમાં જાઓ, તમે ગળામાં સામાન્ય માળા પહેરી હોય અને લગ્નમાં આવેલા તમારા સુખી સ્નેહીએ હીરાનો ૩૧૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy