SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરમાં હોય કે પ્રવચનમાં; આવેશમાં એ ઊભો થઈ જાય, ન કરવાનું કરી બેસે. જીતવાનું કોને છે ? કષાયોને. ધર્મનું શ્રવણ કર્યા પછી ગમે તે વ્યક્તિ મળે પણ તમારે એક જ વિચાર કરવાનો : “સમતાથી સહન કરી કર્મ ખપાવવાનો આ અવસર છે.” પણ મૃત્યુનો, ભાગી જવાનો, કંટાળી જવાનો કે જીવનને ઝેર કરવાનો વિચાર કદી ન કરવો. ગમે ત્યાં જશો પણ જ્યાં સુધી કર્મ પૂરાં નથી થયાં, દેવું ચૂકવાયું નથી ત્યાં સુધી એ તમને નહિ છોડે. બીજા ભવમાં પણ પીછો પકડશે. દેવું તો ચૂકવવું જ પડશે. જે મરવાનો, કંટાળીને આપઘાત કરવાનો વિચાર કરે છે, ઊંઘની ગોળીઓ લેવાનો વિચાર કરે છે એને આ જ્ઞાનદૃષ્ટિ મળી નથી. ધર્મનું શ્રવણ કરતાં કરતાં જેની જ્ઞાનદૃષ્ટિ જાગતી હોય એને દુ:ખમાં પણ જીવન જીવવાનું બળ આવે છે. જેમ જેમ સહન કરતા જાઓ એમ તપોવૃદ્ધિ થતી જાય. કષાય તો જ્ઞાની અને અજ્ઞાની બધાને આવવાના. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી બધા કષાયો માણસના મનમાં બેઠા છે. કોઈ કહેતું હોય કે મને કષાય નથી, તો કાં એ દંભી છે, કાં અજ્ઞાની. દંભી જૂઠાથી સ્વીકારતો નથી, અજ્ઞાની જાણતો નથી. જે કષાયો તમારામાં બેઠા છે, એ જ કષાયો સાધુમાં બેઠા છે. પણ સાધુ શું કરે ? સમજાવી, પટાવીને શાંત કરી બેસાડી દે. જ્ઞાનદૃષ્ટિ અહીં સહાયક બને છે. પિત્ત અંદર પડ્યું હોય ત્યાં સુધી વાંધો નહિ; પણ ઉપર આવી જાય ત્યારે માથું ચઢે, ઊલટી આવે. કષાયો પણ ઉપર આવતાં આ મુશીબત ઊભી થાય. જ્યારે જ્યારે કષાયો ઉદયમાં આવે ત્યારે એટલું ન વિચારો ? આ કષાય કેમ આવ્યો ? આ જ્ઞાનદૃષ્ટિ છે. એક ઘરમાં સાસુવહુ ક્રોધમાં આવી ન બોલવાનું બોલે, બન્ને લઢી પડે. વહુએ પાડોશીને વાત કરી, પૂછ્યું : “એવો કોઈ મંત્ર છે જેથી મારી સાસુનું મગજ શાંત થઈ જાય ?'' નમો અરિહંતાણંનો મંત્ર આપ્યો અને કહ્યું : “મંત્ર સારો છે પણ સાથે પથ્ય પાળવું પડશે. જ્યાં સુધી તારી સાસુનું મગજ ગરમ રહે ત્યાં સુધી મોઢામાં ઠંડા પાણીનો કોગળો ભરી રાખવો : મોઢામાં પાણી અને મનમાં નમો અરિહંતાણં. તારા મોઢામાં રહેલા ઠંડા પાણીને લીધે સાસુના Jain Education International ૩૧૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy