SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્રદ્ધા નીકળી જશે. જેવું ભાગ્યનું નિર્માણ હશે એવું જ થવાનું છે. કોઈ કોઈને જિવાડી શકતું નથી. જેને કર્મવાદ ઉપર વિશ્વાસ છે એ પોતાના છોકરાઓને અપંગ માનવાની ભૂલ કદી કરતો નથી. ઘણાંખરાં મા-બાપ દીકરાઓને અપંગ કરે છે અગર માની બેઠાં છે, મારાં છોકરાંનું શું થશે ?” શું લૂલાં-લંગડાં છે ? આજે તો લૂલાં-લંગડાં પણ જીવી રહ્યા છે. જ્યારે આને તો પાંચે ઇન્દ્રિયો છે, તે શું કરવા એની ચિંતા કર્યા કરે છે ? જેને પોતાનામાં વિશ્વાસ નથી એને જગતમાં ક્યાંય વિશ્વાસ નથી. નક્કી કરો કે ભાગ્ય પ્રમાણે, કર્મ પ્રમાણે થવાનું છે; લેણદેણ પ્રમાણે ભોગવવાનું છે. ઋણાનુબંધ પૂરા થતાં બધું સમાપ્ત. આ વિશ્વાસ ઉત્પન્ન થાય પછી પોતે બીજાના વિચારે હેરાન થતો નથી. જુવાનીમાં રળવાની શક્તિ હોય પણ ઘડપણમાં એ શક્તિ ઓછી થતાં ભેગું કરવાની આસક્તિ વધે. તૃષ્ણાને જ્ઞાનીઓએ કાળી નાગણ કહી છે. બીજા સર્પની પકડમાંથી માણસ કદાચ છૂટી જાય પણ કાળી નાગણના ભરડામાંથી ન છુટાય. એના ભરડામાંથી છૂટવાનો માર્ગ છે : જાંગુલિ મંત્ર. મદારીઓ પાસે જાંગુલિ નામનો મંત્ર હોય છે. આ મંત્રના પ્રભાવથી સર્પ વશ થઈ જાય છે અને કરડ્યો હોય તો એનું ઝેર ઊતરી જાય. તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા માટે જાગ્રત જ્ઞાનદૃષ્ટિ એ જાંગુલિ મંત્રનું કામ કરે છે. આ જાગ્રત જ્ઞાનદૃષ્ટિ શું છે ? માણસને વિચાર આવે કે મારી વાસના આ વસ્તુઓમાં રહી જશે તો ભટકીને, ફરીને, રખડીને પાછા અહીં આવવું પડશે; મારું ભવભ્રમણ વધી જશે; તૃષ્ણાના તાંતણે તણાવું પડશે. જીવને વારંવાર જન્મ લેવા પડે છે, એનું કારણ છે : તૃષ્ણા. મોક્ષે જાય છે એમને જન્મ લેવા નથી પડતા, કારણ કે એમની તૃષ્ણા છૂટી ગઈ છે. જન્મ લેવાનું કારણ તૃષ્ણાનું દોરડું છે. એ માણસને પાછો લઈ આવે છે. ધર્મસાધનાથી તૃષ્ણાનું દોરડું તોડવાનું છે. એ દોરડું તૂટે તો જ માણસ મુક્ત બને. દોરડું ન છૂટે તો હલેસાં મારવાં નકામાં છે. કાશીથી બે પંડ્યાઓ નૌકામાં બેસીને બીજે ગામ જવા નીકળ્યા. દસ માઈલ દૂર જવાનું હતું. ચાંદની રાત હતી. એમને થયું : લાવ, જરા ભાંગ પીએ. ગંગામાંથી પાણી લીધું, ભાંગ પીસી, અને બેબે લોટા ભરી પી ગયા. પછી હલેસાં મારવાનું શરૂ કર્યું. આખી રાત હલેસાં માર્યા. સવારના પાંચ વાગ્યા, ઘાટ ઉપર લોકોની અવરજવર શરૂ થઈ. ભાંગનો કેફ પણ ઊતરવા ૩૧૪ ૪ માનવતાનાં મૂલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy