SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એ એકલતા કેવી છે ? ઘોડો ચંદી ખાતાં ખાતાં કાંકરો આવે અને ચમકી જાય. બે ઘડી ચાવવાનું બંધ કરી દે. જીભ ફેરવીને કાંકરો કાઢી પાછો ચંદી ખાવા મંડી જાય. પછી એને યાદ પણ ન આવે કે કાંકરો આવ્યો હતો. એવી રીતે કોઈક વાર તમને સંસાર કડવો લાગે, દુ:ખથી ભરેલો લાગે અને વૈરાગ્ય આવે, પણ જ્યાં એ કાંકરો નીકળી ગયો એટલે પાછો હતો તેવો ને તેવો. પૂછો કે કાંઈ થયું હતું ? નહિ, એ તો બધું ભુલાઈ ગયું. ભુલાઈ ગયું એનો અર્થ એ નથી કે ફરીથી નહિ આવે. સંસારમાં સુખ કરતાં દુ:ખ વધારે છે. જેમ પૃથ્વીમાં જમીન કરતાં પાણી વધારે છે એમ સંસારમાં સુખનો ભાગ થોડો છે; દુ:ખનો ભાગ મોટો છે. એ ગમે ત્યાંથી છાલક મારીને આવી જાય છે. એટલે જ સતત જાગૃતિમાં રહેવાનું છે, સ્વસ્થતાથી વિચાર કરવાનો છે. જે બહારની પૂર્ણતા રૂપે પ્રસિદ્ધિ અને પદાર્થો મળ્યાં છે એ ભલે મળ્યાં, વાંધો નથી; પણ હું એનાથી અલિપ્ત રહું એમ જાગ્રત રહેવું જોઈએ. અલિપ્ત રહીશ તો સુખના દિવસમાં આનંદથી રહી શકીશ અને દુઃખના દિવસમાં મૂંઝાઈશ નહિ. એવા કપરા સમયમાં પણ સ્વસ્થતા ટકી રહેશે. તરંગો વગરના સ્થિર સરોવરનાં શાંત પાણી, બિલોરી કાચના જેવાં પારદર્શક હોય. એના કિનારે બેસો તોય એમાં તમારું પ્રતિબિંબ દેખાય. એમ જ્યારે મનના તરંગો શાંત થઈ જાય છે, અને જીવન બિલોરી કાચ જેવું બની જાય છે ત્યારે જે આનંદ અંદરથી આવે છે એ અવર્ણનીય છે. એની અનુભૂતિ થતાં માણસ મનમાં ને મનમાં મલકાય. શાંત તરંગ વગરના સરોવ૨ના જેવી અવસ્થા માણસના ચિત્તમાં થાય છે ત્યારે જ અંદરનો મલકાટ આવે છે. આ અવસ્થા ઉત્પન્ન કરતાં ઘણી વાર લાગે છે, એને માટે સતત મહેનત કરવી પડે છે, જાગ્રત રહેવું પડે છે. એકવાર દિશા જડવી જોઈએ, લાગવું જોઈએ કે હું હવે આગળ વધી શકીશ. પત્નીના કહેવાથી પતિ વ્યાખ્યાનમાં આવે પણ એને રસ નથી, થાય કે ચાલી જાઉં, ભાગી જાઉં. એમ કરતાં કરતાં એને રસ પડી જાય, પછી કહેવું પડતું નથી કે ચાલો વ્યાખ્યાનમાં. પછી તો કહે છે કે હું જ જાઉં છું. રસ્તો જડી જાય, જીવનની શાંતિનો માર્ગ મળી જાય પછી બીજી ગમે તેટલી વસ્તુઓ તમારા માર્ગમાં આવે, તમે નહિ પડો. કેટલીક વસ્તુઓમાં સુખનું દર્શન થાય પણ હોય નહિ, કેટલાકમાં જલદી દેખાય નહિ પણ હોય છે જ. એવી રીતે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિરૂપ પદાર્થોમાં Jain Education International ૩૦૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy