SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની સમજે છે કે જેમાં લોકોને સુખ દેખાય છે એમાં મારે પોતાને માટે તો દુ:ખ જ છે. ઘણી વસ્તુ લોકોને દેખાડવા માટે છે, પોતાને માટે નહિ. ઉનાળામાં બહેનો દાગીના પહેરે, લોકો રાજી થાય પણ પહેરનારાને ખબર છે કે અંદર કેટલો પરસેવો થઈ રહ્યો છે. હું નાનો હતો ત્યારે મારા પિતાજીએ મને નવા ભારે બૂટ અપાવ્યાં, અને એક જાણીતી વ્યક્તિના લગ્ન સમારંભમાં મને સાથે લઈ ગયા. મને અંદર ડંખ વાગ્યા જ કરતો હતો. મને થયું, આ બૂટ કાઢીને અડવાણો ફરું, પણ બાપુજી કહે : “કેવા ભારે બૂટ છે ! આ તે કઢાતા હશે ?' હું અંદર દુભાતો હતો. લોકો મારા બૂટ સામે જુએ અને કહે, કેવી સરસ જોડ પહેરીને આવ્યો છે ! પણ મને ખબર કે અંદર શું થઈ રહ્યું હતું. કેટલીક વાર બીજાના સુખનું કારણ પોતાના દુઃખનું કારણ બની જાય છે. બહાર સારું દેખાય પણ અંદર શું હોય છે એ તો જે અનુભવે છે તે જ જાણે છે. દુન્યવી સાધનોની પૂર્ણતા, લોકોની દૃષ્ટિમાં દેખાતી પૂર્ણતા આવી જ છે. તરંગોથી સાગર સુબ્ધ થાય ત્યારે એ ક્ષુબ્ધતાને લીધે ભરતી ખૂબ દેખાય પણ એમાં સ્વસ્થતા નથી; એમ ઘણાના જીવનમાં ભરતી દેખાય પણ સ્વસ્થતા ન હોય. રૂપિયા ઉધાર લાવી ઘરનો કોઈ પ્રસંગ ઊજવે ત્યારે એ ખુશ ખુશ લાગે. લોકોને મળે, હાથ મિલાવે, સ્વાગત કરે. બધું પૂરું થયા પછી આઇસ્ક્રીમનું બીલ, મંડપનું બીલ ચૂકવતાં મનમાં થાય : “આ લોકોએ મારો માત્ર જીવ જ બાકી રહેવા દીધો છે. મને ખર્ચાવીને ખોખું કરી નાખ્યો.” ગમાર પૈસા ઉધાર લઈ લગ્નમાં ખરચતો હોય ત્યારે વિચારે નહિ કે પચીસ વર્ષ સુધી પૈસા ચૂકવતાંચૂકવતાં દમ નીકળી જશે. સાગરમાં ઊર્મિને લીધે ખાલી ભરતી દેખાય છે એમ બે-ચાર દિવસના વિકલ્પોના તરંગોને લીધે ભરતી દેખાય પણ અંતે દુ:ખ તો એકલાને જ અનુભવવું પડે. પાછળથી દુઃખનો આ અનુભવ કરતાં કરતાં એને સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય પણ ખરું, પણ એ જ્ઞાન લાંબું રહેતું નથી. તમને કોઈ દિવસ વૈરાગ્ય નથી આવ્યો એ હું નથી માનતો. સંસારીને વૈરાગ્ય કાઈ દહાડો ન આવે એ તો અચ્છેરૂ કહેવાય. મિત્રો, મિત્રો ન રહ્યા; મારી કોને પડી છે : હું કેવી રીતે સહન કરું છું એ તો હું જ જાણું છું, એમ વિચારી ભર્યા ભર્યા કુટુંબ વચ્ચે એકલતાનો અનુભવ કેટલાયને થતો હોય છે. પૂર્ણાષ્ટક * ૩૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy