SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અગી ના જાવરામાં છે દુનિયાના બધા બનાવોની અસર મન ઉપર પડતી જાય છે. એ સુખરૂપે હોય કે દુ:ખરૂપે; આનંદરૂપે કે શોકરૂપે; અસરો ચાલુ જ છે. એનો સંગ્રહ તમારાં દિવસભરનાં કાર્યો ઉપર પડ્યા કરે છે. માણસો બહારગામ હવા ખાવા જાય છે. ત્યાંથી ઘણી વાર સ્વસ્થ થઈને આવે છે, કારણ કે ત્યાં તાર નહિ, ટપાલ નહિ, બજારનાં લફરાં નહિ, અનિચ્છનીય વાત નહિ, કોઈનું વ્યવહારિક દબાણ નહિ, માણસ પોતાની રીતે જીવી શકે. મન relax થાય છે એટલે સ્કૂર્તિ આવે છે, મોઢા ઉપર સરખી આવે છે. મન સ્વતંત્ર વાતાવરણમાં રહે છે, માણસ તંદુરસ્ત થઈને આવે છે. ત્યાં પોતાને, પોતાના વિચારોને અનુકૂળ જીવન જીવવાની સગવડતા મળે છે. આવે ત્યારે લોકો પૂછે : કેમ, હવા ખાઈ આવ્યા ? તો શું હવા બીજે ઠેકાણે નહોતી ? હવા તો ઉત્તરથી દક્ષિણ દોડ્યા જ કરે છે. હવા બધે છે, પણ એ હવા ઝીલવા માટે મનની જે અવસ્થા જોઈતી હતી એ અવસ્થા અહીં નહોતી. અહીં પોતાના વિચારોને અનુરૂપ જીવન જીવવાની સગવડતા નથી. ઘરથી નીકળે, ઑફિસે જાય, બે-ચાર ટપાલ જુએ, એમાં કોઈ પીળું કાગળિયું આવે, મન ખાટું થઈ જાય. આટલું બધું assessment? સુખને બદલે દુ:ખનો અનુભવ થાય; ખાધેલું, શાંતિ અને આનંદ બધું બળી જાય. જેને પાંચથી સાત હજાર રૂપિયા રળીને રહેવાનું છે અને ધનપતિઓના દુ:ખની ભયંકર ભઠ્ઠી કેવી ચાલે છે એની કલ્પના પણ નથી. ઇન્દ્રિયો ઉપર કેટલું દબાણ આવતું હશે ? આખા શરીરની અવસ્થા, માનસિક અવસ્થા જ upset થઈ જાય. ચિંતકોએ આ અવસ્થા જોઈ અને કહ્યું – જે અમારા માનસિક વાતાવરણને નષ્ટ કરે એ વાત જ નહિ જોઈએ. સુખેથી જીવશું. ચારિત્ર્યપદની પૂજાની એક કડી આવે છે : “ણ પરે પટ ખંડ છોડીને ચક્રવર્તી પણ વરિયો, એ ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં ચિત્તમાં ઘરિયો.” ચક્રવર્તીઓને પણ આ તોફાનોની અનુભૂતિ થઈ, તરંગોની થપાટો ખાધી અને જોઈ લીધું કે આમાં સુખ નથી. એમને અનુભવ થયો એટલે છ ખંડની સમૃદ્ધિને પણ તણખલું સમજીને છોડી દીધી અને મનમાં એક જ પ્રાર્થના કરી કે અક્ષય સુખ આપનાર ચારિત્ર્ય એ જ પરમ જીવન છે. ૩૦૬ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy